1. Home
  2. ગુજરાતી
  3. ઈસરો એ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષાની ઉપર લાવવાની ચોથી કવાયત સફળતા પૂર્વક પૂર્ણ કરી
ઈસરો એ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષાની ઉપર લાવવાની ચોથી કવાયત સફળતા પૂર્વક પૂર્ણ કરી

ઈસરો એ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષાની ઉપર લાવવાની ચોથી કવાયત સફળતા પૂર્વક પૂર્ણ કરી

0
Social Share

દિલ્હીઃ- 14 જુલાઈના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્રારા ચંદ્રયાન 3 લોંચ કરવામાં આવ્યું હતું જે ભારત દેશની એક ઉપલબ્ધિ સાબિત થઈ સફળતા પૂર્વક ચંદ્ર્યાન 3ને લોંચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ ગુરુવારે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

ઈસરોએ આપેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયતનું કાર્ય અહીં ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કદ્વારા કરવામાં આવ્યું હતું.  ચંદ્રયાન-3ની ચોથી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી.

ચંદ્રયાન હાલમાં 71351 x 233 કિમીની ભ્રમણકક્ષામાં છે. આનો અર્થ એ થયો કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જે પૃથ્વીની સૌથી નજીક 233 કિમી અને સૌથી દૂર 71351 કિમી છે. અગાઉ 18 જુલાઈના રોજ ભ્રમણકક્ષા વધારીને 51400 કિમી x 228 કિમી કરવામાં આવી હતી.

સ્પેસ એજન્સીએ એમ પણ કહ્યું કે ભ્રમણકક્ષામાં વધારો કરવા માટે પાંચમું અને અંતિમ પૃથ્વી બાઉન્ડ એન્જિન ફાયરિંગનું આયોજન 25 જુલાઈ 2023ના રોજ બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું છે. આ પછી, અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને 31 જુલાઈ અને 1 ઓગસ્ટના મધ્યરાત્રિના સ્લિંગ શોટ દ્વારા ચંદ્ર તરફ આગળ વધશે. 5મીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અવકાશયાનને પકડી લેશે. તે 23મીએ ચંદ્ર પર ઉતરશે.

ઈસરો થકી વધુમાં જણાવવામાં આવ્યું છે કે  આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસના અવસરે ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રની નજીક લાવ્યું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોના વડા એસ સોમનાથે આ અગાઉ  સ્પેસ સાયન્સ ટેક્નોલોજી એન્ડ અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ 2023ના ઉદ્ઘાટન સંબોધનમાં આ વાત કહી. કહ્યું હતું કે,અવકાશયાન ચંદ્ર પર જઈ રહ્યું છે. આગામી થોડા દિવસોમાં, લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવાનું કાર્ય કરશે.”

ઉલ્લેખનીય છે કે ઈસરોના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 બપોરે 2.35 વાગે લોન્ચ કરવામાં આવ્યો હતો અને લોન્ચ થયાના લગભગ 10 મિનિટમાં તે પૃથ્વીની સપાટીમાંથી બહાર પહોંચી ગયુ અને અંતરિક્ષમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થયો હતો. ત્યારે હવે ચંદ્રની ભ્રમણકક્ષા ઉપર લાવવાની ત્રીજી કવાયત પણ સફળ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code