1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ
કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ

કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય તહરીક એ હુરિયત સંગઠન ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવતા પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી છે. તહરીક એ હુરિયત સંગઠન પાકિસ્તાનના વિશ્વાસુ મનાતા સૈયદ અલી શાહ ગિલાનીનું છે. ભારતીય ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ આ સંગઠન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વર્ષ 2018 બાદ કાશ્મીરમાં આ એવુ આઠમું સંગઠન છે તેની ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારતની આ કાર્યવાહાની પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિંદા કરી છે. બલુચો ઉપર અત્યાચાર ગુજારનાર પાકિસ્તાનને કહ્યું છે કે, ગિલાનીની પાર્ટી ઉપર પ્રતિબંધ લગાવવો એ માનવાધિકારોનું ઉલ્લંધન છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક સપ્તાહમાં બીજુ કાશ્મીરી સંગઠન છે જેની ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પહેલા મસર્રત આલમની પાર્ટી મુસ્લિમ જમ્મુ-કાશ્મીરને પણ ભારત સરકારે ગેરકાયદે જાહેર કરી હતી. પાકિસ્તાને કહ્યું હતુંકે, આ પ્રતિબંધ સાથે જ કુલ પ્રતિબંધિત પાર્ટીઓની સંખ્યા છ થઈ ગઈ છે. તહરીક એ હુરિયતને સૈયદ અલી શાહ ગિલાનીએ ઉભુ કર્યું હતું. જેમનું વર્ષ 2021માં નજરબંધી દરમિયાન મોત થયું હતું.

ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કર્યા બાદ અહીં સતત વિકાસના કાર્યો કરી રહી છે, તેમજ રોજગારીની નવી નવી તકો ઉભા થાય તેવા પ્રયાસો કરી રહી છે, બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવતા તત્વો સામે પણ આકરી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવતા તત્વોને પાકિસ્તાન બાહ્ય સમર્થન આપતું રહ્યું છે. જેથી કેન્દ્ર સરકારની કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ હોય તે જગજાહેર છે. એટલું જ નહીં દુનિયાના વિવિધ મંચો ઉપર કાશ્મીર મુદ્દે પાકિસ્તાને કાગારાડ કરી હતી. જો કે, દુનિયાના વિવિધ દેશોએ પાકિસ્તાનને આ મુદ્દે સમર્થન આપવાનું ટાળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code