Site icon Revoi.in

પાકિસ્તાની સેનાનો નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, 10 નાગરિકના મોત

Social Share

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની સરહદો પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હુમલાના બીજા દિવસથી ચાલી રહેલ ગોળીબાર આજે પણ ચાલુ રહ્યો. પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. 

આ ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા. 6-7મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરની સામે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પારની ચોકીઓ પરથી ભારે તોપમારો કર્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગોળીબાર નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આમાં ત્રણ નિર્દોષ નાગરિકોના મોત થયા.

 મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો અને ઘણા કલાકો સુધી ચાલુ રહ્યો. આનાથી રહેણાંક માળખાને નુકસાન થયું અને સરહદી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો. મૃતકોની ઓળખ શાહીન નૂરના પુત્ર મોહમ્મદ આદિલ, અલ્તાફ હુસૈનના પુત્ર સલીમ હુસૈન અને શાલુ સિંહની પત્ની રૂબી કૌર તરીકે થઈ છે. 

ભારતીય સેનાના પ્રવક્તાએ પુષ્ટિ આપી કે સેના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો પ્રમાણસર અને સંતુલિત રીતે જવાબ આપી રહી છે. આપણા દળો નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે અને સરહદ પારથી થતા આક્રમણનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. બીજી તરફ, પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કટોકટી સેવાઓને એકત્ર કરી રહ્યું છે.