1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં નળ દ્વારા ઘેર-ઘેર પાણી આપવાનું આયોજન, બે વર્ષમાં 1350 કરોડ ફાળવાયા
કચ્છમાં નળ દ્વારા ઘેર-ઘેર પાણી આપવાનું આયોજન, બે વર્ષમાં 1350 કરોડ ફાળવાયા

કચ્છમાં નળ દ્વારા ઘેર-ઘેર પાણી આપવાનું આયોજન, બે વર્ષમાં 1350 કરોડ ફાળવાયા

0
Social Share

 

ભૂજઃ કચ્છ જિલ્લો ભૂતકાળમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. હવે નર્મદાના નીર ઘેર-ઘેર પહોચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જિલ્લામાં પાણી માટેની વ્યવસ્થા સુચારુરૂપે બહાલ રાખવા સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં રૂ.1350 કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે. હાલ જિલ્લાની 25 લાખની વસ્તીને ધ્યાને લઇ પ્રત્યેક વ્યકિતને આગામી 2050 સુધી દૈનિક 100 લિટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સંભવત: રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં હયાત પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.કચ્છ જિલ્લામાં પાણી માટેની 31 યોજનાઓ હાલ અમલમાં છે.

કચ્છને છેલ્લાં બે વર્ષમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે કચ્છને રૂા. 1350 કરોડની જંગી ધનરાશિની ભેટ મળી છે. `નલ સે જલ’ યોજના અંતર્ગત 2022 સુધીમાં ગુજરાત રાજ્યમાં દરેક ઘરે નળ જોડાણ આપવા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતાં કચ્છ જિલ્લામાં આ માટેની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં પ્રત્યેક વ્યક્તિ, ઢોર, ઔદ્યોગિક તેમજ અન્ય સંસ્થાઓની જરૂરિયાત સાથે’ ગણતરી કરવામાં આવે તો કુલ 475 એમએલડીની દૈનિક પાણીની જરૂરિયાત છે, જે પરિપૂર્ણ કરવા માટે માળિયા ખાતેથી નર્મદાનું પાણી તેમજ ટપ્પર ડેમ, સુવઈ ડેમ અને ફતેહગઢ ડેમ કે જે નર્મદા કેનાલ સાથે જોડાયેલા હોઇ તેના દ્વારા કચ્છ જિલ્લાની જરૂરિયાતનું 475 એમએલડી પાણી ઉપલબ્ધ છે અને બલ્ક લાઇન દ્વારા જુદા જુદા હેડવર્ક્સ પર પાણી આપવા માટેની વહન ક્ષમતા પણ પર્યાપ્ત છે તેવું પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત સુચારૂ રૂપે દરેક ગામે પૂરતું પાણી મળી રહે તેમજ દરેક ગામનું નેટવર્ક 100 ટકા ઘર કનેકશનોથી જોડાયેલા હોય તે માટે પૂરતા સોર્સ અને પૂરતું નેટવર્ક હોવું જરૂરી છે. કચ્છ જિલ્લો સંપૂર્ણપણે નર્મદા ઉપર નિર્ભર ન રહે અને સ્થાનિકે પણ?પાણી ઉપલબ્ધ થાય તેવી દૂરદૃષ્ટિને ધ્યાને લઇ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ પાસે 100 એમએલડી એટલે કે, 10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે માસ ફેબ્રુઆરી 2023માં કાર્યરત થનાર છે. જિલ્લાની બલ્ક પાઇપલાઇનમાંથી જુદા-જુદા 26 ટેપિંગ પોઇન્ટ મારફતે કુલ્લ 27 જૂથ યોજનાઓને જરૂરિયાત મુજબનું પાણી આપવામાં આવી રહ્યું છે અને આ જૂથ યોજના દ્વારા તેઓના વિતરણ નેટવર્ક મારફતે દરેક ગામે પાણી વિતરીત કરવામાં આવે છે. ભૂતકાળમાં આ જૂથ યોજનાઓનું નેટવર્ક પ્રતિ વ્યકિત 70 લિટર પાણી આપવાની ગણતરી સાથે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકાર દ્વારા નક્કી થયેલા નિયમો મુજબ વ્યકિતદીઠ 100 લિટર પાણી દરેક ગામને આપવાનું થાય છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code