પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી
- દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવાઈ રહ્યો છે
- વાપ્રધાન મોદીએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી
- રાષ્ટ્રપતિ કોવિંદે પણ આપી બધાઈ
દિલ્હીઃ- આજે મુસ્લિમ બિરાદરોનો મહિનો જીલહજનો 10મો ચાંદ છે,આજના દિવસને હજના 10 દિવસ પુરા થાય છે અને સમગ્ર વિશઅવમાં આ 10માં ચાંદે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદાનો તહેવાર મનાવમાં આવે છે, આજે દેશભરમાં નુસ્લિમ બિરાદરો આ તહેવાર ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.
પીએમ મોદીએ દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છાો પાઠવી
Eid Mubarak! Greetings on Eid-ul-Adha. May this festival inspire us to work towards furthering the spirit of collective well-being and prosperity for the good of humankind.
— Narendra Modi (@narendramodi) July 10, 2022
આજના આ ખાસ દિવસે દેશના પ્રધાનમંત્રી વનરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર આપણને માનવતાની સુધારણા માટે પ્રેરણા આપે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની શુભકામનાઓ. આ ઉત્સવ આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે.”.”
આ સાથએ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને બકરીદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આપણે આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.


