1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની આપત્તિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની આપત્તિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની આપત્તિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

0
Social Share

દિલ્હી:હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. સેંકડો લોકોના મકાનો ધરાશાયી થયા છે અને સરકારી સંપત્તિને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની આપત્તિ પછી બચાવ કામગીરીને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

વડા પ્રધાને શનિવારે હિમાચલમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલી આપત્તિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિ અને રાહત અને બચાવ કામગીરી માટે ચલાવવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. પીએમ મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છે.

નડ્ડા આ મુલાકાત દરમિયાન કુદરતી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ મળશે. તેઓ શિમલાના સમરહિલ ખાતે ભારે વરસાદને કારણે નાશ પામેલા પ્રાચીન શિવ મંદિરના સ્થળની મુલાકાત લેશે. તેઓ શિમલા અને બિલાસપુરમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક પણ કરશે અને રાહત, બચાવ અને પુનર્વસનના કાર્યો અંગે ચર્ચા કરશે.

નડ્ડા રવિવારે સવારે 9 વાગ્યે પાઓંટા સાહિબ (સિરમૌર) પહોંચશે. આ પછી તેઓ સવારે 9:35 કલાકે રોડ માર્ગે સિરમૌરી તાલ અને કચ્છી ધાંગ ગામ પહોંચશે, જ્યાં તે સિરમૌરી તાલ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરશે અને આમાં મૃત્યુ પામેલા 5 સભ્યોના પરિવારજનોને પણ મળશે.

આ પછી, બીજેપી અધ્યક્ષ સવારે 11:20 વાગ્યે શિમલાના શિવબાવડી, સમરહિલ પહોંચશે, જ્યાં તેઓ ભારે વરસાદથી નાશ પામેલા પ્રાચીન શિવ મંદિર સ્થળનું નિરીક્ષણ કરશે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અહીં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code