1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી શુક્રવારે હાજરી આપશે
ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી શુક્રવારે હાજરી આપશે

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી શુક્રવારે હાજરી આપશે

0
Social Share

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 12 મીને શુક્રવારે પાટનગર ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં યોજાનારા પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. તેમજ મહાત્મા મંદિર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન શુક્રવારે સવારે જ ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. ત્યાથી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લીધે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 12મીને શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં યોજાનારા  પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. અને સંબોધન કરશે. ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે એક સમારોહમાં હાજર રહેશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું છે. જેનું આયોજન ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે કરવામાં આવ્યું છે. ત્યારે આ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી શિક્ષણનીતિ વિશે શિક્ષકોને પાઠ ભણાવે તેવી શક્યતા છે. આ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહેશે. જેમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનું પણ આયોજન કરાયું છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં હાજર રહેશે. અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે. વડાપ્રધાન મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટિલ સહિત ભાજપના નેતાઓને પણ મળશે. અને રાજયની રાષ્ટ્રીય મહત્વની યોજનાઓ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં પણ થીમ અંગે વડાપ્રધાન રાજયના તંત્રને માર્ગદર્શન આપશે અને તેથી ગાંધીનગરમાં હાલ વડાપ્રધાનની મુલાકાત પુર્વેનો ધમધમાટ શરુ થઈ ગયો છે અને તેથી આઈપીએસ બદલીઓ પણ હવે તા.12 બાદ જ થાય તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code