1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે
પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

0
Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે.

રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ, રેલવે મંત્રાલય, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ અને ગૃહ મંત્રાલય વગેરે સહિત વિવિધ વિભાગોમાં જોડાશે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જેમાં ‘એનીવેર એની ડિવાઈસ’ લર્નિંગ ફોર્મેટ દ્વારા 400 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code