1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
પીએમ મોદી આજે અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

પીએમ મોદી આજે અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

0
Social Share
  • દાહોદમાં આજે અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે
  • અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદી વાત
  • ગુજરાતમાં સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલની સરકારના 5 વર્ષ

દાહોદ: ગુજરાતમાં 3 ઓગસ્ટ મંગળવારના રોજ અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પૂરા કરેલ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે અને પીએમ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.

આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ન અને પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, મુખ્ય સચિવ અનિલ મૂકીમ સહીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું  વિતરણ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code