1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12મી માર્ચે PM મોદી ખાતમૂહૂર્ત કરશે,
અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12મી માર્ચે PM મોદી ખાતમૂહૂર્ત કરશે,

અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12મી માર્ચે PM મોદી ખાતમૂહૂર્ત કરશે,

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા, 12મી માર્ચના રોજ ખાત મુહૂર્ત કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઇ RTO સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે. અને વિકલ્પ રૂપે જુના વાડજથી રાણીપ તરફ જતો રોડ જે આરટીઓ સર્કલ સુધી જાય છે. તે માર્ગ પરથી વાહનો અવર-જવર કરી શકશે.એટલે કે,  RTO બ્રીજથી આશ્રમ તરફ જતા લોકોને હવે રાણીપ થઇ નવા માર્ગનો ઉપયોગ કરવો પડશે.

શહેરના સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમ અને આજુબાજુના વિસ્તારોમાં અનેક આકર્ષણો બનાવાશે. જેમાં મહાત્મા ગાંધીજીને લગતી માહિતી અને એમના ઇતિહાસને દર્શાવતા જુદા જુદા પ્રકલ્પો બનાવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિસ્ટ સ્પોટ બનાવાશે. આગામી તા. 12મી માર્ચના રોજ સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરના સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટને લીધે ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને  કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ રોડ બંધ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ બંધ કરાશે. તેથી પાલડી, વાસણા, સરખેજ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોમાંથી કલેક્ટર કચેરીએ બસમાં આવનારા લોકોને હવે 50 મીટર જેટલું ચાલીને આવવું પડશે.

સૂત્રોના કહેવા મુજબ  જુના વાડજથી ગાંધી આશ્રમ થઈને જતા રોડ પર હાલ અંદાજે રોજના એક લાખ જેટલા વાહનો પસાર થાય છે. હવે વૈકલ્પિક માર્ગ તરીકે રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે. જોકે આ રોડ ઉપર સવારે અને સાંજના સમયે બંને ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. એક તરફ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર આવતી બસો અને ત્રણ બાજુથી રોડ પરથી વાહનો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેમ લાગી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code