1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી ‘મન કી બાત’માં રામપુરની મુસ્લિમ મહિલાઓ સાથે કરશે વાર્તાલાપ,આવતીકાલે ટેલિકાસ્ટ થશે આ કાર્યક્રમ
PM મોદી ‘મન કી બાત’માં રામપુરની મુસ્લિમ મહિલાઓ સાથે કરશે વાર્તાલાપ,આવતીકાલે ટેલિકાસ્ટ થશે આ કાર્યક્રમ

PM મોદી ‘મન કી બાત’માં રામપુરની મુસ્લિમ મહિલાઓ સાથે કરશે વાર્તાલાપ,આવતીકાલે ટેલિકાસ્ટ થશે આ કાર્યક્રમ

0
Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ આવતીકાલે એટલે કે 18 જૂન રવિવારે પ્રસારિત થશે. આ વખતે યુપીના રામપુરની મુસ્લિમ મહિલાઓ પણ મોદીના મન કી બાત કાર્યક્રમમાં જોડાશે. રામપુરમાં યોજાનાર ભાજપ લઘુમતી મોરચાના આ કાર્યક્રમને વડાપ્રધાન કાર્યાલય તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. રામપુરમાં પહેલીવાર આ કાર્યક્રમમાં બે હજારથી વધુ મહિલાઓને એકસાથે આમંત્રિત કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં પીએમ આ મહિલાઓ સાથે વાતચીત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ માટે 12 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. પીએમઓએ રામપુરને 12 સ્થળોમાં સામેલ કર્યું છે જ્યાંથી વડાપ્રધાન કનેક્ટ થઈ શકે છે. રામપુરમાં પાર્ટીના લઘુમતી યુનિટે આ માટે ઘણી તૈયારીઓ કરી છે. કાર્યક્રમમાં બે હજારથી વધુ મુસ્લિમ મહિલાઓ ભાગ લેશે. પીએમ મોદી આ મહિલાઓ સાથે પણ વાતચીત કરશે.13 જૂને પીએમ મોદીએ ટ્વીટ કરીને કાર્યક્રમની તારીખમાં ફેરફારની જાણકારી આપી હતી.

આગામી વર્ષે યુપીમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ભાજપે ચૂંટણીમાં 80માંથી 80 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેના કારણે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ લઘુમતી મોરચો જનતા સાથે વાતચીત કરવા અને તેમનું સમર્થન મેળવવા માટે તમામ 80 લોકસભા બેઠકો પર લાભાર્થી સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યું છે.આ એપિસોડમાં રામપુરમાં ભાજપ લઘુમતી મોરચાનું પણ આયોજન કરવામાં આવશે. PMની મન કી બાત દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે વાતચીત પણ ભાજપની રણનીતિનો એક ભાગ છે. મહિલાઓ સાથે વાત કરીને પીએમ મોદી તેમને એ અહેસાસ કરાવવા માંગે છે કે તેમને તેમની ચિંતા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code