
પીએમ મોદી આજે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષક દિન નિમિત્તે, 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ પર 2022ના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર,શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો આપવાનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા માત્ર શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
નિવેદન અનુસાર, શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ગુણવાન શિક્ષકોને જાહેર માન્યતા આપે છે. આ વર્ષે એવોર્ડ માટે, સખત અને પારદર્શક ઓનલાઈન થ્રી સ્ટેજ પ્રક્રિયા દ્વારા દેશભરમાંથી 45 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
નોંધનીય છે કે,શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.