1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક જોવા મળી રહ્યાં છે. તેમજ શિવસેનાના નેતાઓ અને શિંદે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, કે, ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ મુંબઈ  આવશે. સંજય રાઉતના નિવેદનથી વિવાદ સર્જાતા તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું છે. સોમવારે સંજય રાઉતે બચાવ કરતા કહ્યું કે, તેમણે આત્મા અને અંતરાત્મા મરી જવાની વાત કરી હતી. પાર્ટીમાંથી ભાગી જનારનો અંતરાત્મા મરી ગયો છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાના નિવેદનને લઈને બચાવ કરતા કહ્યું હતું કે, ગુવાહાટીમાં રહેલા ધારાસભ્યોનો અંતર ત્મા મરી ચુક્યો છે અને તેઓ હવે જીવતી લાશ સમાન છે. શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે, હવે અમારી પાસે ગુલાબ રાવ પાટીલનો વીડિયો ટ્વિટ છે. પાર્ટીમાંથી ભાગી જનારનો અંતરાત્મા મરી ગયો છે. અમે ક્યારેય અમારા પિતાને બદલતા નથી. રાઉતે વધુમાં કહ્યું કે જો તમારી પાસે 50 ધારાસભ્યોની સંખ્યા છે તો તમે ગુવાહાટીમાં કેમ બેઠા છો. તમે તાકાત બતાવો. મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. તેમણે કહ્યું કે ભાજપે પીડીપી સાથે મળીને સરકાર ચલાવી છે. જેઓ 40 વર્ષ પાર્ટીમાં રહ્યાં છે અને ક્યાંક જાય તો સમજવું કે તે જીવતી લાશ છે.

શિવસેનાના મુખપત્ર સામના મારફતે ભાજપ અને શિંદે ઉપર આકરા પ્રહાર હતા. તેમજ લખ્યું હતું કે, વડોદરામાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસસ એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક મળી હતી. જેમાં અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મીટીંગ બાદ શિંદે જૂથને વાય પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code