1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

0
Social Share

નવી દિલ્હીઃ કુતુબ મિનાર કેસ પર મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં જોરદાર રજૂઆત થઈ હતી. હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈને અપીલ કરી હતી. સિવિલ જજે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબ મિનાર સંકુલમાં બનેલી કુવ્વત-એ-ઈસ્લામ મસ્જિદ મંદિર સંકુલની જગ્યા પર બનાવવામાં આવી હતી. અરજીમાં મંદિરના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. સિવિલ જજના નિર્ણયને સાકેત કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મંગળવારે સુનાવણી દરમિયાન જૈને AMASR એક્ટના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. આર્કિયોલોજિકલ સર્વેએ આ માંગનો વિરોધ કર્યો હતો. ASI તરફથી હાજર રહેલા એડવોકેટ સુભાષ ગુપ્તાએ કહ્યું કે પૂજા કરવાનો મૂળભૂત અધિકાર છે પરંતુ તે સંપૂર્ણ અધિકાર નથી. સાકેત કોર્ટે ચુકાદો 9 જૂન સુધી મુલત્વી રાખવામાં આવ્યો હતો.

અરજદાર હરિશંકર જૈને કહ્યું કે, સરકારે કુતુબ મિનારને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યો છે. છેલ્લા 800 વર્ષથી મુસ્લિમો તેનો ઉપયોગ કરતા ન હતા. જ્યારે મસ્જિદના નિર્માણના ઘણા સમય પહેલા મંદિર હતું, તો તેને શા માટે પુનઃસ્થાપિત કરી શકાય? (સિવિલ) જજે કહ્યું છે કે જો આને મંજૂરી આપવામાં આવશે તો બંધારણ, ધર્મનિરપેક્ષને નુકસાન થશે. જૈને કહ્યું કે તેઓ દેવતાઓની પુનઃસ્થાપના કરવા અને પૂજા ફરી શરૂ કરવા માટે પરવાનગી માંગે છે.

જૈનના દાવા પર કોર્ટે પૂછ્યું કે હવે તમે આ સ્મારકને મંદિર બનાવવા માંગો છો એમ કહીને કે તેનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. મારો પ્રશ્ન એ છે કે જો આપણે માની લઈએ કે 800 વર્ષ પહેલાં મંદિર હતું, તો તમે કેવી રીતે દાવો કરી શકો કે તેના પર કાનૂની અધિકાર છે? જૈને કહ્યું કે જો તે હિંદુ મંદિર છે તો તેને મંજૂરી કેમ ન આપી શકાય? કાયદો કહે છે કે એકવાર મિલકત દેવતાની થઈ જાય તો તેમની પાસે રહે છે..

સાકેત કોર્ટ સમક્ષ જૈને કહ્યું હતું કે, મંદિરના વિનાશ છતાં દેવતાનું પાત્ર બદલાતું નથી. હું ભક્ત છું. ચિત્રો હજુ પણ ત્યાં છે. લગભગ 1,600 વર્ષ જૂનો લોખંડનો સ્તંભ છે. હું દલીલ કરું છું કે દેવતાઓ ક્યારેય અદૃશ્ય થતા નથી. એ જ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે દેવતા બચે તો પૂજા કરવાનો અધિકાર બચે. તેના પર કોર્ટે હળવા સ્વરમાં કહ્યું કે 800 વર્ષ સુધી દેવી-દેવતાઓ પૂજા થઈ નથી, તેને એમ જ રાખવી જોઈએ.

કોર્ટે પૂછ્યું કે પૂજાના અધિકારનું સ્વરૂપ શું છે અને તેનાથી સંબંધિત કયા અધિકારો ઉપલબ્ધ છે. કોર્ટે કહ્યું કે મૂર્તિના અસ્તિત્વને લઈને કોઈ વિવાદ નથી. પ્રશ્ન પૂજાના અધિકારનો છે. જૈને કહ્યું કે તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મૂળભૂત અધિકાર ક્યારેય સમાપ્ત થતો નથી. કોર્ટે પૂછ્યું કે શું પૂજા મૌલિક અધિકાર છે? જૈને કહ્યું હા, તો કોર્ટે પૂછ્યું કેવી રીતે? જૈને કહ્યું કે ભારતમાં હજારો વર્ષ જૂના મંદિરો છે, તેમની જેમ અહીં પણ પૂજા કરી શકાય છે. જૈનની દલીલો બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના એડવોકેટ સુભાષ ગુપ્તાએ કહ્યું કે કોર્ટના આદેશ સાથે છેડછાડ કરવાનું કોઈ કારણ નથી. ગુપ્તાના મતે, જ્યારે કોઈ સ્થળ 1958ના કાયદાના દાયરામાં આવે ત્યારે તેનું પાત્ર નક્કી થાય છે. એકવાર સ્મારકનું પાત્ર નિશ્ચિત થઈ જાય પછી તેને બદલી શકાતું નથી. જ્યારે કોઈ સ્મારક ASI એક્ટ હેઠળ આવે છે, ત્યારે વાંધો ઉઠાવવા માટે 60 દિવસનો સમય હોય છે. તે વાંધાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. આ કારણોસર, દેશમાં એવા ઘણા સ્મારકો છે જે પૂજા સ્થાનો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code