રાજકોટ જેલના કેદીઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયા – જેલની અંદર તિરંગા યાત્રામાં ‘ભારત માતા કી જય’ ના નારા ગુંજ્યા
- રાજકોટ જેલના કેદીઓની તિરંગા યાત્રા
- કેદીઓ પણ રંગાયા દેશભક્તિના રંગે
રાજકોટઃ- જ્યા દેશ આઝાદીના 75 વર્ષ પુરા થવાની ઉજવણી કરી રહ્યો છે, આ ખાસ પર્વ પર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં તિરંગા યાત્રાઓ નીકાળવામાં આવી રહી છે અને લોકો દેશભક્તિના રંગમામં રંગાયા છે.
રાજકોટ શહેરમાં પણ કેદીઓ દ્રારા તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી પ્રાપ્ત જામકારી પ્રમાણે આજરોજ રાજકોટની મધ્યસ્થ જેલ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠી હતી તેનું કારણ હતું કેદીઓની દેશભક્તિસ કારણ કે જેલની અંદર જ તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી.જેમાં પોલીસ સ્ટાફની પણ હાજરી હતી.આ તિરંગા યાત્રા આજે દિવસ દરમિયાન કુલ 1800 જેટલા કેદીઓ ભાગ લેવા જઈ રહ્યા છે જેમાં અનેક તબક્કાવાર આ યાત્રા યોજાઈ રહી છે જેમાં પહેલા તબક્કામાં કુલ 100 કેદીઓ જોડાયા છે.
પહેલી શ્રેણીમાં આ યાત્રામાં જેલના 100 જેટલા કેદીઓ જોડાયા હતા. રાજકોટ જેલની બેરકમાંથી નીકળેલી તિરંગા યાત્રા જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી હતી અહી યાત્રાનું સમાપાન થયું હતું આ સાથે જ કેદીઓ રાષ્ટ્રગાનનું વાદન કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.