1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રંગીલા રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો 17 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાશે
રંગીલા રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો  લોકમેળો 17 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાશે

રંગીલા રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો 17 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાશે

0
Social Share

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો મેળો દર વર્ષે રંગેચંગે અને ઉલ્લાસથી યોજાતા હોય છે. જોકે કોરોનાને કારણે છેલ્લા બે-અઢી વર્ષથી રાજકોટના મેળાને સરકારે મંજુરી આપી નહતી. હવે કોરોના વાઈરસની મહામારી નામશેષ થતા જ રાજકોટ કલેક્ટર દ્વારા અઢી વર્ષનાં લાંબા સમયગાળા બાદ આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આગામી જૂન માસમાં લોકમેળા સમિતિની બેઠક યોજવા માટે તખ્તો તૈયાર કરાયો છે. લોકમેળાના આ આયોજન માટે પ્રાંત કચેરી દ્વારા પણ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ કરી દેવામાં આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ  જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવાની જાહેરાત કરી છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોનાની ચોથી લહેર નહીં આવે તો લોકમેળો ચોક્કસ યોજાશે તેવો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ હવે જિલ્લા કલેક્ટર દ્વારા આ મેળો યોજવા અંગેની પ્રાથમિક તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં આયોજીત થતો આ ભાતીગળ અને પરંપરાગત જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ વર્ષે રાંધણ છઠ્ઠથી એટલે કે ઓગસ્ટ માસમાં 17 થી 21 દરમિયાન યોજાઈ તે માટેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. રંગીલા રાજકોટનો આ લોકમેળો એ સૌરાષ્ટ્રભરમાં અનોખી ભાત પાડી રહ્યો છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હૈયે હેયુ દળાઈ એટલી માનવ મેદની ઉમટી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળના પગલે સતત બે વર્ષ સુધી વેપારીઓના વેપાર-ધંધા ઠપ્પ રહ્યા હતા જ્યારે હવે કોરોના નામશેષ થયેલ છે ત્યારે આ લોકમેળામાં વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમ અને ખાણીપીણી,રમકડા અને રાઈડ્સના સ્ટોલ રાખવા માટે અત્યારથી જ પૃચ્છા શરૂ કરી દેવામાં આવી છે. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code