1. Home
  2. ગુજરાતી
  3. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકારને આરબીઆઈની સલાહ

0
Social Share

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોના મોટા પાયે ખાનગીકરણથી લાભ કરતાં વધુ નુકસાન થઈ શકે છે. આરબીઆઈએ સરકારને આ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપી છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકો નફો વધારવામાં વધુ કાર્યક્ષમ છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વધુ સારું પ્રદર્શન કર્યું છે.

ખાનગીકરણ એ કોઈ નવો ખ્યાલ નથી. દરેક વ્યક્તિ તેના ફાયદા અને ગેરફાયદા જાણે છે. ખાનગીકરણ પરંપરાગત રીતે તમામ સમસ્યાઓનો મુખ્ય ઉકેલ છે, જ્યારે આર્થિક વિચારસરણીએ શોધી કાઢ્યું છે કે, તેને આગળ લઈ જવા માટે સાવચેતીભર્યો અભિગમ જરૂરી છે. સરકારે 2020માં 10 રાષ્ટ્રીયકૃત બેંકોને ચાર મોટી બેંકોમાં મર્જ કરી હતી. આ સાથે જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે, જે 2017માં 27 હતી.

આરબીઆઈના હસ્તક્ષેપથી મુદ્રા બજારની અસ્થિરતા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારના ઘટાડાના દરમાં ઘટાડો થયો છે. આરબીઆઈના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્શિયલ માર્કેટ ઑપરેશન્સના સૌરભ નાથ, વિક્રમ રાજપૂત અને ગોપાલકૃષ્ણન એસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે, 2008-09ની વૈશ્વિક નાણાકીય કટોકટીના પરિણામે મુદ્ર અનામતમાં 70 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. કોવિડ-19 દરમિયાન તેમાં માત્ર 17 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે, આ વર્ષે 29 જુલાઈ સુધી  56 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

આરબીઆઈએ કહ્યું કે, આવનારા સમયમાં ઉચ્ચ ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાની જરૂર છે. ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રતા પાત્રાએ જણાવ્યું હતું કે, “સૌથી સુખદ વિકાસ એ છે કે જુલાઇમાં ફુગાવાના દરમાં જૂનની સરખામણીમાં 0.30%નો ઘટાડો થયો છે.” 2022-23ના જૂન ક્વાર્ટરમાં સરેરાશ 0.60%નો ઘટાડો થયો છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code