Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક, પટ્ટાવાળાની ભરતી અને FRCના મુદ્દે શાળા સંચાલકો લડત આપશે

Social Share

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક અને પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ ભરાતી નથી તેમજ ફીના ધારાધોરણ અંગે શાળા સંચાલકોએ અગાઉ સરાકારને વખતોવખત રજુઆતો કરી હોવા છતાંયે વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તાજેતરમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારે રજુઆતો કરી હોવા છતાં શાળાઓમાં પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી છેલ્લા ઘણાં સમયથી કરવામાં આવી નથી. ઉપરાંત  FRC સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કરવામાં આવ્યો છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સંચાલક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ અલગ અલગ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ સરકાર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવામાં મૂડમાં છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. સરકારને કઈ રીતે પડકારવામાં આવે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ તે કામ શિક્ષક અથવા આચાર્યને કરવું પડતું હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં તેવી માંગ સાથે હાઇકોર્ટના દ્વારા ખખડાવશે.

રાજ્યમાં 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા મુદ્દે પણ રાજ્ય શાળા સંચાલક મહામંડળ હાઈકોર્ટમાં જવાનું છે. FRC આવ્યાને 8 વર્ષ થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પ્રાયમરીમાં 22 હજાર, સેકન્ડરીમાં 30 હજાર અને સમાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર સ્લેબ કરી આપવા માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો આપવા માંગ કરાઈ છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શાળા સંચાલકો હાજર રહ્યા છે. 2007થી અમારી કલાર્કની શાળાઓમાં ભરતી થઈ નથી. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ક્લાર્ક અને પટાવાળા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. જે સંજોગોમાં આજે સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર અમારી વિનંતીઓને ગ્રાહ્ય રાખતી નથી તો નામદાર હાઇકોર્ટમાં જઈને તેનો ન્યાય મેળવવો. ન્યાય મેળવવા માટે 2012માં કોર્ટમાં ગયા હતા. પરંતુ મિનિસ્ટરના કહેવાથી અમારી સિવિલ એપ્લિકેશન પરત જ ખેંચી હતી. પરંતુ આજ દિન સુધી એક પણ ક્લાર્ક આપવામાં ન આવતા અમે કોર્ટના દ્વાર ખખડાવીશું.

 

Exit mobile version