1. Home
  2. ગુજરાતી
  3. શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર
શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર

શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર

0
Social Share
  • શામળાજી મંદિર હવે 7 જૂન પર ખુલશે
  • મંદિર પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
  • મંદિર પ્રશાસને બદલ્યો પોતાનો નિર્ણય

અરવલ્લી: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે તમામ પગલા લીધા છે. હવે તેની અસર પણ જોવા મળી છે.કોરોના વાયરસના કેસ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘટી રહ્યા છે અને ધીમે ધીમે બધુ શરૂ કરવામાં પણ આવી રહ્યું છે. આવા સમયમાં લોકોમાં ખુશીની વાત એ છે કે મંદિરો પણ ખોલવામાં આવી રહ્યા છે જે ભક્તો માટે ખુશીના સમાચાર છે.

આવા સમયમાં અરવલ્લીમાં આવેલા શામળાજી મંદિરને લગતા પણ સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વારા હવે આગામી 7 જૂનના રોજ ખુલશે. અગાઉ શામળાજી મંદિરના ટ્ર્સ્ટીગણ શામળાજી ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે, મંદિરના દ્વાર પહેલી જૂનથી ખોલવા, પરંતુ એકાએક આ નિર્ણયમાં ફેરફાર કરીને મંદિરના દ્વાર વધુ સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસનું સંક્રમણ ઓછુ થતા સરકારે અનલોકની પ્રક્રીયા હાથ ધરી છે. મંદિરના દ્વાર ખોલવાની જાહેરાત કરવાની સાથે સાથે ટ્ર્સ્ટીગણે કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા અને કરાવવાની જાહેરાત કરી હતી. કોરોનાના સંક્રમણના કારણે મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા અને ભક્તોએ મંદિરમાં ભગવાનના દર્શન માટે લાંબી રાહ જોવી પડી હતી, અને હવે ફરીવાર ભક્તોએ થોડી વધારે રાહ જોવી પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code