1. Home
  2. ગુજરાતી
  3. તો આ રીતે લોકોના મગજમાં રહી જાય છે ગાંઠ! આ બાબતને અવગણશો નહીં
તો આ રીતે લોકોના મગજમાં રહી જાય છે ગાંઠ! આ બાબતને અવગણશો નહીં

તો આ રીતે લોકોના મગજમાં રહી જાય છે ગાંઠ! આ બાબતને અવગણશો નહીં

0
Social Share

દરેક વ્યક્તિ કે જેનું મગજ વધારે સંવેદનશિલ હોય તેને ક્યારે કઈ વાત યાદ રહી જાય અને ક્યારે કઈ વાતનું ખોટુ લાગી જાય તેના વિશે કહી શકાય નહી. આજકાલ બ્રેન સ્ટ્રોકના અનેક કેસ વધ્યા છે. શરીરમાં સૌથી સંવેદનશીલ અને મહત્વનો ભાગ તેનું મગજ હોય છે. જો તે કોઈ વસ્તુથી પ્રભાવિત થાય છે તો તેની અસર આખા શરીર પર થાય છે. તેથી તેની કાળજી લેવી ખુબ જરુરી છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને બોલવામાં તકલીફ પડે અથવા બોલવામાં મુશ્કેલી એ મગજમાં ગાંઠ કે સ્ટ્રોકની મોટી નિશાની છે. મગજમાં લોહીની ગાંઠ થયા પછી, લોકો બોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે બોલી શકતા નથી. મગજમાં કોઈપણ ઉંમરે ગાંઠનું નિર્માણ થઈ શકે છે.

આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર મગજમાં લોહીની ગાંઠ, જેલની જેમ બંધાય જાય છે. આ સમસ્યા સામાન્ય બની જાય છે. તેના કેટલાક સંકેત પણ દેખાતા હોય છે. તે સંકેત વિશે જાણીને તેને નજરઅંદાજ ન કરવું જોઈએ, તે ભારે પડી શકે છે.

માથાનો દુખાવો એ સામાન્ય સ્વાસ્થ્ય રોગ છે, પરંતુ જો તે સતત પરેશાન કરે છે તો બની શકે છે કે શરીરમાં કોઈ પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા આવી ગઈ હોય. નિષ્ણાતોના મતે આ બ્રેઈન સ્ટ્રોક અથવા મગજમાં ગાંઠ જવાની નિશાની પણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે છે અને તમને પણ જો આવી કોઈ સમસ્યા જણાય તો ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી જોઈએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code