1. Home
  2. ગુજરાતી
  3. આજે IPLની હરાજી યોજાશે, 292 ખેલાડીઓ માટે થશે હરાજી
આજે IPLની હરાજી યોજાશે, 292 ખેલાડીઓ માટે થશે હરાજી

આજે IPLની હરાજી યોજાશે, 292 ખેલાડીઓ માટે થશે હરાજી

0
Social Share
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી
  • આજે એટલે કે ગુરુવારે બપોરે 3 કલાકે હરાજી શરૂ થશે
  • કુલ મળીને 292 ખેલાડીઓની હરાજી થવાની છે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી આજે યોજાવા જઇ રહી છે. આ હરાજીમાં 2020માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ગ્લેન મેક્સવેલને ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ઇંગ્લેન્ડના મોઇન અલી તેમજ ડેવિડ મલાન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. જો કે મોટા ભાગની ફ્રેન્ચાઇઝીએ પ્લેયર્સને રિટેઇન કરતી વખતે પોતાના બજેટનો ઉપયોગ કરી લીધો હોવાથી આ વખતે આઠેય ફ્રેન્ચાઇઝીએ પ્લાનિંગ સાથે બજેટનો ઉપયોગ કરવો પડશે. આ હરાજીની શરૂઆત ગુરુવારે બપોરે 3 કલાકે શરૂ થશે.

ગુરુવારે કુલ મળીને 292 ખેલાડીઓની હરાજી થવાની છે, જેમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડીઓ ઉપરાંત એસોસિએટ્સ દેશના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. હાલમાં જ સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા કેરળના મોહમ્મદ અઝહરુદ્દીન પણ આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહી શકે છે. મુસ્તાક અલી ટી-20માં મુંબઈ સામે માત્ર 37 બોલમાં 11 સિક્સ સાથે તેણે સદી ફટકારી હતી.

હાલની સ્થિતિમાં કુલ 8 ટીમો પાસે 61 ખેલાડીઓની જગ્યા છે, જ્યારે હરાજી માટે 292 ખેલાડીઓ છે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી વધુ 11 ખેલાડીઓની જગ્યા છે. કારણ કે કોહલીની ટીમે આ વખતે ઘણા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જોકે બેંગ્લોર પાસે 35.4 કરોડ રૂપિયાનું જ બજેટ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 10.75 કરોડ અને ત્રણ જગ્યાઓ છે. ખેલાડીઓને ખરીદવા માટે સૌથી વધુ બજેટ કિંગ્સ ઈલેવન પંજાબ પાસે છે. પંજાબની પાસે 9 ખેલાડીઓને ખરીદવા માટે 53.20 કરોડ રૂપિયાનું બજેટ છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code