1. Home
  2. ગુજરાતી
  3. પિતૃ પક્ષ દરમિયાન આ ભોજનથી રહેજો દુર,અને કેટલીક બાબતોનું રાખજો ધ્યાન
પિતૃ પક્ષ દરમિયાન આ ભોજનથી રહેજો દુર,અને કેટલીક બાબતોનું રાખજો ધ્યાન

પિતૃ પક્ષ દરમિયાન આ ભોજનથી રહેજો દુર,અને કેટલીક બાબતોનું રાખજો ધ્યાન

0

પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. જેમ કે ધાર્મિક દ્રષ્ટિથી બહારનું ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વ્યક્તિએ 16 દિવસ સુધી સાત્વિક ભોજન જ કરવું જોઈએ. સાથે સાથે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાદ્ધ દરમિયાન કોઈએ માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દરમિયાન, તમારા પૂર્વજોને માત્ર શાકાહારી ભોજન જ આપો. શુદ્ધ શાકાહારી ખોરાક શુદ્ધ માખણ, દેશી ઘી, દૂધ અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુઓમાંથી બનાવેલ ભોજન તમારા પૂર્વજોને જ અર્પણ કરો.

આ અંગે માહિતી આપતા ગયા વૈદિક મંત્રાલય પાઠશાળાના પંડિત રાજા આચાર્ય કહે છે કે શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન લોકો તેમના મૃત પૂર્વજો માટે પૂજાનું આયોજન કરે છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આ સાથે પંડિતો અને બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન માંસ, ચિકન વગેરેનું સેવન કરવામાં આવતું નથી. આ સમયગાળો સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે, જેમાં માંસ, માછલી, ઈંડા અને આલ્કોહોલનું સેવન અશુભ માનવામાં આવે છે. પિતૃઓને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અપાવવાની વિધિમાં કોઈ અડચણ ન આવે તે માટે આ વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જો આ સમયગાળા દરમિયાન આ વિધિઓનું યોગ્ય રીતે પાલન કરવામાં ન આવે તો પિતૃઓ ગુસ્સે થઈ શકે છે. જેના પછી ઘણી વખત પિતૃદોષની સ્થિતિનો સામનો કરવો પડે છે.

જો કે કેટલાક પંડિત અને શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે એક વાત એ પણ છે કે પિતૃઓ ક્યારેય પોતાના પરિવારના લોકોને હેરાન કે પરેશાન કરતા નથી પણ જ્યારે કોઈ ઘરનું વ્યક્તિ ખોટુ કરી રહ્યું હોય ત્યારે તેને સાંકેતિક રીતે રોકે છે અને કોઈ વાત કહેવા માગતા હોય ત્યારે તેઓ પોતાના હાજર હોવાનો અહેસાસ કરાવતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.