ભારતના આ ગામમાં વર્ષોથી લગ્નમાં દહેજ લેવા અને આપવા ઉપર સખ્ત પ્રતિબંધ
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દહેજ અને બાળલગ્ન જેવા કુરિવાજોથી હવે લોકો દૂર થઈ રહ્યાં છે. દરમિયાન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલા એક ગામમાં વર્ષોથી દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાબા વાઈલ ગામમાં દહેજ લેવા અને આપવા ઉપર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર પરિવાર સાથે ગ્રાજમનો સંબંધ કાપી નાખે છે. એટલું જ નહીં ધાર્મિક પ્રવૃતિમાં પણ સામેલ કરવામાં આવતા નથી. જો કે, ગામમાં વસવાટ કરતા 200 જેટલા પરિવારો દહેજ પ્રથાથી ગણા દુર છે જેથી તેમને આવા પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી.
શ્રીનગરથી 35 કિમી દૂર આવેલા બાબા વાઈલ ગામમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવી રહ્યા છે.1000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ 200 ઘર છે. ગામમાં રહેતા નઈમ અહેમદ શાહએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એક દસ્તાવેજ પર સહી કરીને ગામના 100 પરિવારોએ પ્રતિજ્ઞા લીધી કે ન તો દહેજ આપશે અને ન દહેજ લેશે. ગામમાં લગભગ 10 હજારના ખર્ચમાં લગ્ન સંપન્ન થાય છે. દહેજ ન લેવાનો અને સાદગીથી લગ્ન કરવાનો રિવાજ જૂનો છે, પરંતુ સત્તાવાર રીતે આ ઠરાવ 2018માં શરૂ થયો હતો. જ્યારે ગામના વડીલોએ ભેગા મળીને એક દસ્તાવેજ પર સહી કરી હતી. દસ્તાવેજ અનુસાર, જો કોઈ પરિવાર આ નિયમનો ભંગ કરે છે. તો તેના પરિવારનો બહિષ્કાર કરી દેવામાં આવશે. તેમને સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી અને માતમમાં પણ ભાગ લેવાની પણ મંજૂરી નથી. ગામના 7થી 8 ટકા લોકોએ ગામની બહાર લગ્ન પણ કર્યા છે, પરંતુ તેમણે પણ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો નથી. 2021માં પણ લગભગ 16 લગ્નો અત્યંત સાદગીથી થયા છે.