1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે
ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે

ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓ ગાંડાંઓમાંથી શહેરી વિસ્તારની શાળાઓમાં ભણવા માટે આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ એસટી બસ કે અન્ય વાહનોમાં અપડાઉન કરતા હોય છે. વિદ્યાર્થીઓના રહેઠાણથી શાળા 5 કિલો મીટર કે તેનાથી દુર હોય તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહન યોજના અમલમાં મુકી છે. આ યોજના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે જ છે. અને તેનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવહન પૂરું પાડવા માટે શાળા પરિવહન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીના રહેણાંકથી આ પ્રકારની શાળાઓ 5 કિલોમીટરથી દૂર હોય તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા પાત્ર ગણાશે. વાહન ખર્ચની ખરેખર રકમના આધારે બાળક મહિને મહત્તમ રૂપિયા 600 અને વર્ષે રૂપિયા 6,000ની મર્યાદામાં પરિવહન ખર્ચ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવાનું રહેશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત હવે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાકથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાનો વ્યાપ વધારીને સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધો.12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી અપડાઉન માટે પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને શાળા પરિવહન યોજના માટે રાજ્ય સરકારે બજેટમાં રૂ.100 કરોડની મંજૂરી પણ આપી દીધી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના શાળા પરિવહન યોજનાની ફાઈલ શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ કરવાની રહેશે નવા શૈક્ષણિક સત્રમાં શાળા શરૂ થાય તેના પ્રથમ દિવસથી જ આ યોજના નો લાભ મળે તે માટે મંજૂરીની પ્રક્રિયા તે પહેલા પૂર્ણ કરવા શાળાઓને સુચના આપવામાં આવી છે. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ આ યોજના માટેની દરખાસ્તો મેળવીને તા.30 એપ્રિલ, 2024 સુધીમાં આ યોજના માટે મંજૂરી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જેથી બાળકોને નવા શૈક્ષણિક ક્ષેત્રમાં શાળાઓ શરૂ થયાના પ્રથમ દિવસથી જ શાળા પરિવહન યોજનાનો લાભ મળી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code