1. Home
  2. ગુજરાતી
  3. સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે
સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે

સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે

0
Social Share
  • સૂર્યની રોશની કોરોના સામે આપે છે રક્ષણ
  • અલ્ટ્રાકિરણોથી કોરોનાનો મૃ્ત્યુ દર ઘટે છે

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને અનેક વેક્સિન માર્કેટમાં આવી ચૂકી છએ, તો બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટેના અનેક રિસર્ચ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

દેશમાં સ્થિતિ બેકાબૂ બની છે જેને લઈને અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ, વિકેન્ડ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતને લઈને એક ખાસ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સંશોધન પ્રમાણે જો વધુ સમય સુધી સૂર્યના કડકતા તડકામાં  રહેવામાં આવે તો અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવવાથી કોરોનાનો મૃત્યું એક ખઘટી શકે છે, અર્થાત કોવિડના મોતને અટકાવવા માટે સૂર્ય કિરણો મહત્વનો ભાગ ભજવે છે

આ બાબતે બ્રિટિશ જનરલ ઓફ ડર્મેટોલોજિમાં રજૂ કરવામાં આવેલા રિસર્ચમાં અમેરિકામાં જાન્યુઆરીથી લઈને એપ્રિલ 2020 ની વચ્ચે થયેલા કોરોનાના મોતની સાથે તે સમયમાં 2 હજાર 474 કાઉન્ટીમાં અલ્ટ્રાવાયોલેટ સ્તરની સરખામણી કરવામાં આવી હતી. નિષઅણઆંતો એ કહ્યું કે, અલ્ટ્રાવાયોલેટ કિરણો વધુ પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં વસવાસ કરતા લોકો કોરોનાથી ઓછા મૃત્યુ પામ્યા છે

સંશોધન કરનારા નિષ્ણાંતોના કહ્યા પ્રમાણે, ઈંગ્લેન્ડ અન ઈટલીમાં આ પ્રકારનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે, સંશોધન કરતા લોકોએ ઉંમર, સમુદાય, સામાજિક આર્થિક સ્થિતિ, જનસંખ્યા, વાયુ પ્રદૂષણ, તાપમાન અને સ્થાનિક વિસ્તારમાં સંક્રમણના સ્તરને ધ્યાનમાં લેતા વાયરસથી સંક્રમિત થવાની બાબતથી લઈને તેના મોતાના જોખમનું ખાસ  વિશ્લેષણ કર્યું હતું.

સંશોધનકારોનું કહેવું છે કે, સૂર્યના તાપમાં મહત્તમ સમય પસાર કરવાથી આપણા શરીરની ત્વચામાંથી નાઈટ્રીક ઓક્સાઈડ બહાર આવે છે,જેના થકી આ વાયરસની આગળ વધવાની ક્ષમતાને ઘટાડી દે છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code