શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડાશે, 11650 હેકટરને સિંચાઈનો લાભ મળશે
ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા શેત્રુંજી ડેમમાં આ વખતે સારા વરસાદને કારણે પાણીનો પુરતો સંગ્રહ થયો હોવાથી ખેડુતોને સિંચાઈનું પુરતુ પાણી મળી રહેશે. શેત્રુંજી જળાશય સિંચાઇ યોજના દ્વારા આગામી સમયમાં નહેરવાટે પાણી છોડવા માટે સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગ તાજેતરમાં મળી હતી જેમાં શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ […]