AAP’ના કેજરીવાલ, સિસોદિયા, ભગવત માન સહિત ચાર નેતાઓ આજે ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે બેથી અઢી મહિના જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. આજે તા. 1લી ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ […]