1. Home
  2. Tag "akhilesh yadav"

“જેઓ દાનને સુરક્ષિત ન રાખી શક્યા, તેઓ પરીક્ષાના પેપર કેવી રીતે સુરક્ષિત રાખશે?”: અખિલેશ યાદવનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, 28 જુલાઈ 2026: લોકસભામાં પેપર લીકને રોકવા અંગેના બિલ પરની ચર્ચા દરમિયાન, વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે આ મુદ્દાને રામ મંદિર દાનની ચોરીના કેસ સાથે જોડતા ટિપ્પણી કરી હતી કે, જેઓ દાનની સુરક્ષા કરી શક્યા ન હતા, તેઓ પરીક્ષાના પેપરની સુરક્ષા ભાગ્યે જ […]

શું રામ મંદિરમાં દાનની ચોરી આયોજિત હતી? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

લાલ ટોપીનો બદલાતો રંગ: અખિલેશના ટ્વીટે ઊભા કર્યા સવાલો, શું હવે રાજકારણની દિશા બદલાઈ રહી છે?

હેમંત પરમાર દ્વારા બંગાળમાં રાજકીય પરિસ્થિતિમાં આવેલા ફેરફારો બાદ હવે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પણ નવા સંકેતો જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચા તેજ બની છે. હજ યાત્રાને લઈને પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ પરથી મુકાયેલ શુભેચ્છા સંદેશ ત્રણ વખત બદલાયા બાદ આખરે હટાવી દેવામાં આવ્યો. ત્યારથી રાજકીય વર્તુળોમાં અનેક […]

સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?

લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો. […]

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]

અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો જૂઠાણું ફેલાવાનો પ્રયાસ નિંદનિયઃ પાનસેરીયા

ગાંધીનગરઃ તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક નિષ્ફળ નેતાઓ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામોને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરિણામ હજી જાહેર થયાં નથી, છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિદ્યાર્થીઓ અને તેમના […]

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

ઉત્તરપ્રદેશઃ હારથી હતાશનો ગુસ્સો ગૃહમાં નહીં નીકાળવા માટે સીએમ યોગીએ વિપક્ષને કરી અપીલ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્ર પહેલા કહ્યું હતું કે મને આશા છે કે હારથી હતાશ વિપક્ષ ગૃહ પર પોતાનો ગુસ્સો નહીં કાઢે, પરંતુ ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવામાં સકારાત્મક યોગદાન આપશે. બજેટ સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, “રાજ્યપાલનું ભાષણ અને બજેટ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, જેમાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ગૃહના […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code