1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી સક્રિય યોગદાનનો લીધો સંકલ્પ
500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી સક્રિય યોગદાનનો લીધો સંકલ્પ

500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી સક્રિય યોગદાનનો લીધો સંકલ્પ

0
Social Share

ગાંધીનગર, તા. 04 ઓગસ્ટ 2026: 500 students received training as road safety ambassadors ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને વાહન વ્યવહાર વિભાગ, ગુજરાતની પ્રેરણાથી આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી અને સ્ટીલબર્ડના સંયુક્ત ઉપક્રમે તેમજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરના સહયોગથી “આવાસ યુથ રોડ સેફ્ટી શિક્ષણ અને જાગૃતિ અભિયાન” અંતર્ગત માર્ગ સુરક્ષા અગ્રદૂત તાલીમ અને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન તાલીમ પૂર્ણ કર્યા બાદ 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે દેશમાં સુરક્ષિત માર્ગ સંસ્કૃતિ વિકસાવવા અને વર્ષ 2047 સુધી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો.

સમગ્ર સભાગૃહમાં “યુવા જાગૃત – દેશ જાગૃત” અને “યુવા સુરક્ષિત – દેશ સુરક્ષિત” જેવા સૂત્રોચ્ચારોથી ઉત્સાહનો માહોલ સર્જાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે સુરક્ષિત માર્ગો દ્વારા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અપીલ કરી અને માર્ગ સુરક્ષાના વિશેષ સંદેશ સાથે સ્ટીલબર્ડ હેલ્મેટ વિદ્યાર્થીઓને વિતરણ કર્યા.

તેમણે આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીની અધ્યક્ષ ઋતુ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા માર્ગ સુરક્ષા ક્ષેત્રે ચાલી રહેલા જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી.

કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં કડી સર્વ વિશ્વ વિદ્યાલય ડિરેક્ટર ગાર્ગી રાજપરાએ આ અનોખા અભિયાન અને તાલીમ મોડ્યુલની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે માર્ગ સુરક્ષા માત્ર વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ યુવાનોના મોત થવું ચિંતાજનક છે, તેથી દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.

મુખ્ય પ્રશિક્ષક તરીકે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત, માર્ગ સુરક્ષા વિષયના ગોલ્ડ મેડાલિસ્ટ અને રાજસ્થાનના ઉપ પરિવહન આયુક્ત (માર્ગ સુરક્ષા) ડૉ. વીરેન્દ્ર સિંહ રાઠોડે પોતાના દ્વારા તૈયાર કરાયેલા “રોડ સેફ્ટી ચક્ર” અને માર્ગ સુરક્ષા પોકેટ બુકના માધ્યમથી સરળ અને રસપ્રદ ઉદાહરણો દ્વારા સુરક્ષિત મુસાફરીના નિયમોની સમજ આપી. તેમણે રાહવીર યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલોની મદદ કરનારાઓને મળતા રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર વિશે માહિતી આપી તેમજ વધુમાં વધુ લોકોને અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી.

ડૉ. રાઠોડે જણાવ્યું કે, ભારત માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના મામલે લાંબા સમયથી વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. તેમણે વર્ષ 2047 સુધી અકસ્માતમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે યુવાનોને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code