1. Home
  2. Tag "anand"

આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં […]

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ […]

ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી ધાન્યપાકો ઝેરયુક્ત બનતા બિમારીનું પ્રમાણ વધ્યુઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ જિલ્લાના આંકલાવડી ખાતે આવેલા આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને જીવનનું અંગ બનાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજથી 30-40  વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી, પરંતુ રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત […]

આણંદમાં મોટરકાર અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત, બે વ્યક્તિ ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આણંદમાં બોરસક-રાસ રોડ પર પૂરઝડપે પસાર થતી મોટરકારે એક સ્કુટરને અડફેટે લીધું હતું. કારની સ્પીડ એટલી વધારે હતી કે, ટક્કર વાગ્યા બાદ સ્કુટર પર સવાર પરિવાર ફુટબોલની જેમ ઉછળીને રોડની સાઈડમાં પડકાયા હતા. આ દુર્ઘટનામાં સ્કુટર ઉપર સવાર પિતા-પુત્રીના કરુણ મોત થયાં હતા. […]

આણંદ નજીક પોલ્ટ્રીફાર્મમાંથી આંગણવાડીને અપાતો કૂપોષિત બાળકો માટેનો આહારનો જથ્થો પકડાયો,

આણંદ:  જિલ્લાનાં રાસ ગામમાં પોલ્ટ્રીફાર્મમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે દરોડો પાડીને બોરવેલની ઓરડીમાં સંતાડવામાં આવેલો આંગણવાડીમાં વિતરણ માટેને બાલ આહારનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આરોપીઓને અટકમાં લઈને  આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો, તેની તપાસ સાથે આંગણવાડીઓમાં કુપોષણથી બચાવવા માટે બાળકોને વિતરણ માટેનાં બાલ આહારનાં કાળા બજારનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ […]

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તંત્ર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે એક-બે નહીં પરંતુ 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતના આણંદમાં આઠ અને ખેડામાં 20 સ્થળો ઉપર બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ અંગે […]

આણંદમાં ટેમ્પામાં કેરબો ફાટતાં એક કિ.મી સુધી એસિડ રોડ પર ઢોળાયું, અનેક સ્કુટરચાલકો પટકાયાં

આણંદઃ શહેરના  100 ફૂટ રોડ પરથી બપોરના ટાણે પસાર થતાં  ટેમ્પાચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા ટેમ્પોમાં ભરેલા એસિડના કેરબા પૈકીનો એક કારબો ફાટી જતાં એક કિમી સુધી એસિડ રોડ પર રેલાયો હતો. એસિડથી ભીના થયેલા રોડ પર ચાર મહિલાના વાહન સ્લીપ ખાઇ જતાં શરીરે ઓછા વતા અંશે […]

પશુપાલકો – મત્સ્યપાલકો અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી આર્થિક ફાયદો થશે- કેન્દ્રિય મંત્રી 

આણંદ,; સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા “ભારતમાં ડેરી અને મત્સ્યોદ્યોગ વિકાસમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા : સ્થિતિ, પડકારો અને ભવિષ્ય વિષયક યોજાયેલ બે દિવસીય કોંન્કલેવનો શુભારંભ કાર્યક્રમ કેન્દ્રિય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ હવે નવા નવા પ્રયોગો દ્વારા પશુપાલન અને ફીશરીઝ […]

આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને રામ રામ કરીને  ભાજપમાં જોડાયા છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે કેસરિયા કર્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કેસરિયા કર્યા હતા. કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈએ કેસરિયા કર્યા છે. કાંતિભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ […]

આણંદમાં તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, ત્રણના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે તારાપુર ચેકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટાઇલ્સ ભરી પુરપાટ ઝડપે જતી ટ્રક અચાનક માર્ગ પર જ પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરી રહેલા એક જ પરિવારના દસેક સભ્યો ટાઇલ્સ નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code