1. Home
  2. Tag "Arvind kejriwal"

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિશાસન?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં […]

ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જઈ રહી છે. તપાસ એજન્સી ઈડી નિદેશાલયને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી મોટો અને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એરેસ્ટ પહેલા કેજરીવાલના ઘરેથી ઈડી નિદેશાલયને 150 પૃષ્ઠોનો એક દસ્તાવેજ મળ્યો છે. આ દસ્તાવેજમાં ઈડીના બે વરિષ્ઠ અધિકારીઓનો ડિટેલ રિપોર્ટ છે. જે અધિકારીઓની ડિટેલ […]

અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: દિલ્હીની દારૂને લઈને એક્સાઈઝ પોલિસીના કેસમાં એરેસ્ટ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. જજ કાવેરી બાવજાની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેના પહેલા કેજરીવાલે લીગલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડ માંગી છે. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ પક્ષ મૂક્યો હતો. […]

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન […]

18 માસમાં 16 ધરપકડ, દિલ્હી દારૂ ગોટાળામાં અત્યાર સુધીમાં કોણ-કોણ પહોંચ્યુ જેલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડીએ કથિત દારુ ગોટાળાના મામલામાં ગુરુવારે રાત્રે પૂછપરછ બાદ એેરેસ્ટ કર્યા. કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટમાંથી ઉત્પાદ શુલ્ક નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના પાસાની તપાસ સંદર્ભે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવાના ઈન્કારના કેટલાક કલાકો બાદ થઈ છે. આ મામલામાં આ 16મી ધરપકડ છે. એક સપ્તાહ પહેલા જ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code