અયોધ્યામાં નવરત્નના સુમેરુ પર્વત પર બિરાજમાન થશે રામલલા,કાશી વિદ્વત પરિષદની સલાહ
લખનઉ: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.આ દરમિયાન કાશી વિદ્વત પરિષદે રામ મંદિર ટ્રસ્ટને રામલલાના સિંહાસન તરીકે નવરત્નનો પ્રસ્તાવ મૂક્યો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં નવરત્નોથી બનેલા સુમેરુ પર્વત પર રામલલાને બિરાજમાન કરવામાં આવશે. સુમેરુ પર્વત હીરા, નીલમણિ અને રૂબી જેવા અમૂલ્ય રત્નોમાંથી બનાવવામાં આવશે. ભગવાન રામના મંદિર અને રામલલાના પ્રાણ […]


