1. Home
  2. Tag "bharat"

રમકડાંના ઉત્પાદનમાં ભારતની વધતી સ્વનિર્ભરતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રમકડા ઉદ્યોગને ભારતીય કારીગરોને ટેકો આપવા અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષવા માટે પ્રોત્સાહિત કર્યા જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે. નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઈન્વેસ્ટ […]

દેશમાં ભૂકંપ, પૂર સહિતની કુદરતી આફતોનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે NDRF

ભારતમાં ભૂકંપ અને વાવાઝોડા સહિતની મોટી કુદરતી આફતો વખતે દરેકના મોઢા ઉપર સૌ પ્રથમ નામ એનડીઆરએફનું નામ પ્રથમ આવે છે. એટલું જ નહીં દરેક કુદરતિ આફતમાં એનડીઆરએફના જવાનો પોતાના જીવનની ચિંતા કર્યાં વિના દેશની જનતાનું રક્ષણ અને દેશસેવા કરવા માટે તૈયાર રહે છે. ત્યારે એનડીઆરએફ એટલે શું અને તેની સ્થાપના ક્યાંરે થઈ, તેના વિશે આ […]

GSTના 7 વર્ષ પૂર્ણ: 3 મહિનામાં રૂ. 5.57 લાખ કરોડ ટેક્સ કલેક્શન થયું

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદી 1.0 સરકાર દ્વારા 1 જુલાઈ 2017ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. લગભગ 17 વર્ષની લાંબી ચર્ચા પછી, દેશે આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ જોયો. 1 જુલાઈ, 2017ના રોજ, GSTએ એક દેશ, એક ટેક્સ, એક બજારનું સપનું સાકાર કર્યું હતું. ગુડ્સ […]

ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.8 ટકા જાળવી S&P એ રાખ્યું

નવી દિલ્હીઃ S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજનાથી માંગમાં ઘટાડો થશે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે. S&P ગ્લોબલ રેટિંગ્સે સોમવારે જાહેર […]

પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર […]

કુવૈતમાં આગની ઘટનામાં ભારતીયો સહિત 49ના મોત, વિદેશ રાજ્યમંત્રી કુવૈત જવા રવાના થયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં વિદેશી કામદારોના રહેઠાણની બહુમાળી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 40થી વધુ ભારતીયો હોવાનું કહેવાય છે. બાકીના પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને નેપાળના નાગરિકો હતા. આ દરમિયાન 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. દરમિયાન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ ઘાયલ ભારતીયોને મદદની […]

બ્રિટનમાં રખાયેલું 100 ટન સોનું RBI ભારત લાવી, થોડા દિવસો બાદ ફરીથી બીજું સોનુ લવાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનમાં રાખવામાં આવેલ પોતાનું 100 ટન સોનું ભારત મગાંવી લીધું છે. આ સોનું હવે દેશની અલગ-અલગ તિજોરીઓમાં રાખવામાં આવશે. 1991 બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે સોનાનું મંગાવાયું છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ એટલું જ સોનું આગામી થોડા મહિનામાં ફરીથી દેશમાં પહોંચશે. આરબીઆઈના ડેટા અનુસાર, […]

વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહી શકે: RBI

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં અર્થતંત્રે અનેક પડકારો છતાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના સમયગાળા માટે કેન્દ્રીય બેંકની કામગીરીનો સમાવેશ કર્યો છે. રિઝર્વ બેંકે, નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા તેના […]

દરેક વસ્તુનો એક સમય હોય છે, મોટુ પગલું પુરી તૈયારી સાથે ભરવાનું હોય’ POK પરત લેવા મુદ્દે જયશંકરનો જવાબ 

‘ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું’ આ શબ્દો છે વિદેશ મંત્રી એસ.જયશંકરના.. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય માટે યુદ્ધ અટકાવ્યું હતું. PM મોદીએ આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી […]

ચૂંટણી પંચ: C-VIGIL એપ દ્વારા 4.24 લાખથી વધુ ફરિયાદો મળી, 99.9 ટકા કેસોનો નિકાલ

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણી 2024ની ઘોષણા બાદથી અત્યારસુધીમાં C-VIGIL એપ દ્વારા 4.24 લાખથી વધુ ફરિયાદો મળી છે અને તેમાંથી 99.9 ટકા કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદથી 15 મે સુધી એપ દ્વારા 4.24 લાખથી વધુ ફરિયાદો મળી છે. જેમાંથી 4,23,908 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકીના 409 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code