PM સાથે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની મુલાકાતથી ભાજપ ટાર્ગેટ પુરો કરી શકશેઃ પાટિલ
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકથી સવા મહિના જેટલો સમય બાકી છે. ભાજપે વધુ બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પાટિદાર સમાજનો ઘણીબધી બેઠકો પર સારોએવો પ્રભાવ છે. ત્યારે પાટિદાર સમાજને રિઝવવા માટે તમામ પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે દિલ્હી જઈને વડાપ્રધાન […]