1. Home
  2. Tag "bridge"

સુરેન્દ્રનગરના વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને  જોડતો વસ્તડી ગામનો ભોગાવો નદી પરનો પુલ ઠેરઠેર જર્જરિત થઈ ગયો છે. જર્જરિત બ્રિજ પર વાહનો પસાર થતાં જ બ્રિજ ધ્રૂજી રહ્યો છે. વસ્તડીના ગ્રામજનોએ તંત્રને રજુઆતો કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી […]

ગુજરાતમાં વધુ એક બ્રિજ ઉદઘાટન પહેલા જ તૂટ્યો, સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી

અમદાવાદઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે. અમદાવાદ શહેરનો હાટકેશ્વરનો બ્રિજ કરોડો રૂપિયા ખર્ચે બનાવ્યા બાદ ચાર વર્ષમાં બિસ્માર બની જતાં હવે નવા બ્રિજ બનાવવામાં આવશે. ભ્રષ્ટાચારને લીધે પ્રજાના ટેક્સના નાણા બરબાદ થઈ રહ્યા છે. તાજેતરમાં તાપી જિલ્લામાં મીંઝોળા નદી પરનો બ્રિજ તેના ઉદઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો, જો કે […]

મોરબીથી ઝુલતા પુલનો કટાઈ ગયેલો કાટમાળ એફએસએલ તપાસ માટે ગાંધીનગરમાં લવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 35 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ થઈ છે, બીજી બાજુ રાજ્ય સરકારે પણ એક કમિટી બનાવી છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બ્રિજના તૂટેલા અવશેષો ટ્રકભરીને એફએસએલ તપાસ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં મોટાભાગના અવશેષો કટાઈ ગયેલા […]

સુરતમાં બન્યો દેશનો સૌથી પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિકથી મળશે રાહત

રાજ્યનો પહેલો મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ  સી.આર.પાટીલનાં હસ્તે બ્રિજનું કરાયું લોકાર્પણ બ્રિજ શરૂ થતાં 15 લાખથી વધુ લોકોને થશે ફાયદો અમદાવાદ: સુરતમાં રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 133 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ […]

રાજકોટના માધાપર ચોકડી પર બની રહેલા બ્રીજનું નબળું બાંધકામ, સરકાર હવે તપાસ કરશે

રાજકોટઃ  શહેરના માધાપર ચોકડીએ બની રહેલા ઓવર બ્રિજના પાયામાં ડિઝાઈન કરતા નબળું લોખંડ વાપરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો વાયરલ થતાં  રાજ્ય સરકારે ઓવરબ્રીજનું કામ અટકાવવાનો આદેશ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના માધાપર ચોકડી ઓવરબ્રિજમાં ડિઝાઈનમાં ફૂટિંગ એટલે કે પિલ્લરના પાયામાં […]

વડોદરામાં ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રિજ બન્યો જર્જરિત, મરામતની ઊઠી માગ

વડોદરાઃ શહેરમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રીજ જર્જરિત બની ગયો છે, બ્રીજની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનના શાસકો દ્વારા અવાર-નવાર સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે, પરંતુ  હયાત બ્રીજ પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી રહી છે. શહેરના પ્રતાપનગર રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરવામાં ન આવતાં આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી શક્યતાઓને […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

અમદાવાદમાં સાબરમતી નદી પર 225 કરોડના ખર્ચે વધુ એક બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરની સાબરમતી નદીમાં ફુટબ્રીજ બનાવ્યા બાદ હવે સાબરમતી પાવર હાઉસથી હનુમાન કેમ્પ સુધીના રસ્તાને જોડતો નદી પર બ્રીજ બનાવવામાં આવશે. આ નવો બ્રીજ બનતા એરપોર્ટ જવામાં શહેરીજનોને સુગમતા રહેશે. પશ્વિમ વિસ્તારના લોકો જલ્દીથી એરપોર્ટ પહોંચી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ખાસ કરીને પશ્વિમ વિસ્તારના […]

રાજકોટના લોકોને ટ્રાફિકથી મળશે રાહત, લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ પૂર્ણતાના આરે

લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામપૂર્ણતાના આરે થોડા સમયમાં ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજનું નવીનીકરણ રાજકોટ: શહેરમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ચારે તરફ બ્રિજ બનાવામાં આવ્યા છે અને તેમાં પણ લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હતું.પરંતુ હવે આ અન્ડર બ્રિજનું કામ પૂર્ણતાના આરે […]

સુરતના બ્રિજ પર પલટી ગયેલું કન્ટેનર હટાવવું કેમ? ઉચ્ચ અધિકારીઓ પણ મુંઝાયા

સુરતઃ  શહેરના ઇચ્છાપોર-ONGC બ્રીજ પર ત્રણ દિવસ પહેલા એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જે કન્ટેનર પલટી મારી ગયું હતું તેમાં 143 ટનનો સામાન હતો. આ કન્ટેનરના વજનના કારણે બ્રીજના પાયા પણ ડગી ગયા હતા. તેથી બ્રીજને પણ નુકશાન થવા પામ્યું છે. કન્ટેનરના કારણે બ્રીજને 50 લાખનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. કન્ટેનરનું વજન વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code