1. Home
  2. Tag "cbi"

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIએ શરૂ કરી તપાસ,અધિકારીઓની ટીમે સ્થળની લીધી મુલાકાત

ભુવનેશ્વર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન […]

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ, જાણો શું છે મામલો

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ લેન્ડ ફઓર જોબ મામલે રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં અનેક કૌંભા મામલે સુરક્ષા તપાસ એજન્સીઓ સતત સક્રિય બની છે,અનેક કેસ મામલે મોટા મોટા નિર્ણય આવી રહ્યા છે ત્યારે કેટલાક કેસોમાં જીણવટભરી તપાસ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં લેન્ડ ફોર જોબ મામલે  સેન્ટ્રલ બ્યૂરો ઓફ […]

CBIના નવા ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદની કરાઈ નિમણૂક, 2 વર્ષ સુઘી આ પોસ્ટ પર આપશે સેવા

સીબીઆઈના ડિરેક્ટર બન્યા પ્રવીણ સૂદ ત્રણ નામોની હતી ચર્ચા દિલ્હીઃ- સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટરને લઈને 3 નામો ચર્ચામાં હતા ત્યારે ફાઈનલી એક નામ પર મ્હોર લાગી ચૂકી છે,જાણકારી પ્રમાણે પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણ સૂદ અગાઉ કર્ણાટકના […]

નવી શરાબ નીતિ મામલે હવે CBI એ કેજરિવાલને નોટિસ પાઠવી, 16મીએ થશે પૂછપરછ

નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ […]

દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની મુખ્ય જવાબદારી CBIનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ પીએમએ શિલોંગ, પુણે અને નાગપુરમાં સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, આજે નવી ઓફિસો ખોલવાથી સીબીઆઈને તેની કામગીરીમાં વધુ મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સીબીઆઈ તપાસની માંગ કરવા માટે પણ […]

CBI કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો – જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી

CBI કેસમાં મનીષ સિસોદિયાને ન મળી રહાત  જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી દિલ્હીઃ-  દિલ્હીના ભૂતપુર્વ મંત્રી કે જેઓ દારુ કૌંભાડ મામલે એજન્સીઓની રડાર પર છે તેવા મનીષ સિસોદિયાની મુસીબત ઘટવાનું નામ લઈ રહી નથી, કારણ કે હવે ત દારૂ કૌભાંડના મામલામાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. માહિતી પ્રમાણે આજરોજ સોમવારે આ કેસની સુનાવણી […]

લાલુ પ્રસાદ યાદવની સામેની કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીથી નિતિશકુમાર ખુશઃ સુશીલ મોદીનો દાવો

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર અને તેમના પરિવારજનો ઉપર ઈડી-સીબીઆઈના પડેલા દરોડાથી નિતિશ કુમાર દુઃખી-નારાજ નથી, પરંતુ તેઓ આ કાર્યવાહીથી ખુશ હોવાનો દાવો ભાજપના સિનિયર નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું. દિલ્હી સ્થિત ઘર ઉપર પડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવે મળી આવવાથી સૌથી વધારે ખુશ નીતિશ કુમાર છે. તેમણે વધુમાં […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં મનિષ સિસોદીયા તપાસમાં સહયોગ નહીં આપતા હોવાનો CBIનો દાવો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની વધુ કસ્ટડી માંગવામાં આવશે. સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ સૂત્રોએ દાવો કર્યો હતો કે સિસોદિયા તપાસમાં સહકાર […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં તપાસનીશ એજન્સી હવે પૂછપરછ માટે કેજરિવાલને બોલાવે તેવી શકયતાઓ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટો કેસ માની  માની રહ્યાં છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ CBI-ED તપાસ અર્થે ઓફિસ […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code