1. Home
  2. Tag "Central Government"

FASTag: એન્યુઅલ પાસ વપરાશકારોની સંખ્યા 50 લાખને પાર પહોંચી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ‘મુસાફરીની સરળતા’ (Ease of Commuting) ને વધારતા, FASTag એન્યુઅલ પાસે 15 ઓગસ્ટ 2025 ના રોજ લોન્ચ થયાના 6 મહિનાની અંદર 26.55 કરોડથી વધુ વ્યવહારો સાથે 50 લાખ વપરાશકર્તાઓને વટાવીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સીમલેસ (અવિરત) અને કરકસરભર્યો મુસાફરી વિકલ્પ પૂરો પાડવા […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી […]

શ્રીલંકાની જેલમાં બંધ માછીમારોને મુ્ક્ત કરાવવા કેન્દ્ર સરકારને વિનંતી કરી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ શ્રીલંકાની જેલોમાં અટકાયતમાં રાખેલા તમામ માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તાત્કાલિક પગલાં લે. વિદેશ મંત્રી ડૉ. જયશંકરને લખેલા પત્રમાં, તેમણે ભારતમાંથી માછીમારોની ધરપકડની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે હાલમાં, 73 માછીમારોની કુલ 251 માછીમારી બોટ […]

ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: ક્રિસમસ અને નવા વર્ષના અવસરે પગાર વધારા અને સામાજિક સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા લાખો ગિગ વર્કર્સ માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સોશિયલ સિક્યોરિટી કોડ (સેન્ટ્રલ) રૂલ્સ, 2025’ ના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે પ્લેટફોર્મ વર્કર્સને આરોગ્ય, જીવન […]

IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડી સામે પ્રતિબંધ લગાવવાનો BCCIનો ઈન્કાર!

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ભારતીયોમાં રોષ ફેલાયો છે. દરમિયાન આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિજુર રહેમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમે તેવી શકયતા છે. જેને લઈને નારાજ દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે એટલું જ નહીં આઈપીએલમાં પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશી ખેલાડીઓને […]

દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ ઉપર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025ઃ દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ અંગે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 100 મિલિગ્રામથી વધુ માત્રામાં લેવાતી તમામ મૌખિક નિમસુલાઇડ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ […]

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહખોરી અટકાવવા સ્ટોક મર્યાદા અમલી બનાવી

નવી દિલ્હીઃ બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકારે આગામી તા. 31 માર્ચ 2026 સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવી. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન […]

ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર થતું નથી: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે ગુરુવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, અલગ-અલગ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવતી ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ પણ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની હવા ગુણવત્તા સંબંધિત ગાઇડલાઇન્સ માત્ર […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code