1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ‘આપ’એ તૈયારીઓ શરૂ કરી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું […]

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]

રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા […]

ભાજપ અને કોંગ્રેસે લોકસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ગુરુવારે તમામ લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં બે દિવસ સુધી બંધારણ પર ચર્ચા થવાની છે. 13-14 ડિસેમ્બરે લોકસભામાં અને 16-17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ત્રણ લીટીના વ્હીપમાં […]

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો! ગઠબંધન પર આપ્યું મોટું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ […]

જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]

RJDએ કોંગ્રેસને આપ્યો ઝટકો, લાલુ યાદવે કહ્યું- ઈન્ડી ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવી જોઈએ

પટનાઃ લોકસભા ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર બાદ ભારત ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવાની માંગણી તેજ બની છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ યાદવે પણ મમતા બેનર્જીને વિપક્ષી ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી છે. લાલુએ મંગળવારે કહ્યું કે કોંગ્રેસના વાંધાઓનો કોઈ અર્થ નથી. અમે મમતાને સમર્થન આપીશું. મમતા બેનર્જીને […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, TMC બાદ અખિલેશ યાદવની પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવ્યું

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર 2024થી શરૂ થયું હતું, ત્યારબાદ હંગામો ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ધ્યાન અદાણી મુદ્દા પર છે ત્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી ચાલી […]

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code