1. Home
  2. Tag "Dialogue"

જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, PM મોદી ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા […]

જીવનમાં મહેનતથી મોટો કોઈ મિત્ર નથી, અને આળસથી મોટો કોઈ શત્રુ નથી : રાજ્યપાલ

ગાંધીનગરઃ દીકરીઓ માટે આજે ક્ષિતિજો ખુલી ગઈ છે. તેમનામાં રહેલી અપાર ક્ષમતાને વિકસવા માટે આજે રાષ્ટ્રમાં શ્રેષ્ઠ વાતાવરણ છે. દીકરીઓ ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે હર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે. તેમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ  રાજભવનમાં રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ.ની પ્રતિભાવાન વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતુ. રાજ્યપાલએ વિદ્યાર્થિનીઓને અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પરેડ […]

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક જીવન વિષય પર ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

સુરતઃ શહેરના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ […]

સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના ઉપક્રમે યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંમેલનમાં એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે યુવાન દેશનું ભવિષ્ય છે મને તેમના પ્રશ્નો ગમશે. તેમણે […]

વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]

વિકસીત ભારત અને ક્લાઈમેટચેન્જના પડકારોને પહોંચી વળવા AVMA ખાતે સંવાદ

આધુનિક વિશ્વના સૌથી મોટા પડકારો પૈકી એક એવા ક્લાઈમેટ ચેન્જ વિષય પર અદાણી વિદ્યામંદિર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને નિયામક કાર્તિકેય વિક્રમ સારાભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવાના ઉપાયો બતાવ્યા હતા. વિદ્યાર્થીઓને SDG લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝન માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓને નાના-મોટા […]

આદિપુરુષના મેકર્સે લીધો મોટો નિર્ણય,જનતાના સંતોષ માટે બદલશે ફિલ્મના ડાયલોગ

મુંબઈ : ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ 16 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો છે, પરંતુ આ બધાની વચ્ચે પણ તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ આદિપુરુષના ડાયલોગને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના ડાયલોગ્સને ખરાબ કહેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેકર્સે […]

અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ ત્રણેય સેનાઓની પ્રથમ બેચના 40 હજાર અગ્નિવીરોને સંબોધિત કર્યાં હતા. મોદી સરકારે ગયા વર્ષે જ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. જે અનુસાર યુવાનોની […]

ભારત, ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને સાયબર હુમલા અને નેક્સ્ટ-જનરેશન ટેલિકોમ્યુનિકેશનની ક્ષમતા વિષે ચર્ચા કરી.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે સાયબર ક્ષેત્રે વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા કરી, જેમાં સાયબર હુમલાનું મૂલ્યાંકન, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન ક્ષમતા નિર્માણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારાઆ પાંચમો દ્વિપક્ષીય સાયબર નીતિ સંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંવાદની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત […]

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code