1. Home
  2. Tag "Dwarka"

દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે ’75મો વન મહોત્સવ’ યોજાશે

અમદાવાદઃ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે […]

દ્વારકામાં દરિયામાં ભારે કરંટ, ઊંચા મોજા ઉછળતા સમુદ્ર કિનારે ન જવા લોકોને સુચના

દ્વારકા: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાતા દ્વારકાના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના લીધે ઊંચા મોજા ઉછળતા અને દરિયો તોફાની બનતા લોકોને દરિયા કાંઠા વિસ્તારમાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાઈ બીચ પર પોલીસ અને એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના […]

દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં

અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે […]

ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતનો વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. એવામાં, દ્વારકામાં આવેલા બીચ માટે એક સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવ્યો […]

દ્વારકાનો સમુદ્ર તોફાની બનશે, શિવરાજપુર બીચ પર પ્રતિબંધ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

દ્વારકાઃ દેશમાં આંદામાન-નિકોબાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જેના લીધે ગુજરાત-સૌરાષ્ટ્રના સમુદ્રમાં જુન મહિનાથી કરંટ જોવા મળશે. આથી દેવભૂમિ દ્વારકાની નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર આગામી […]

દ્વારકામાં દરિયાની ભરતીને લીધે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 40 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે  આવેલા પંચકૂઈ દર્શન માટે 40 જેટલા યાત્રાળુંઓ જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતીને કારણે ગોમતી નદીનો પ્રવાહ એકાએક વધી જતાં તમામ યાત્રાળુંઓ પાણીમાં ફસાયા હતા.આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્વરિત કામગીરી કરીને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું […]

દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કર્યા એ મારો દિવ્ય અનુભવ હતોઃ PM મોદી

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જામનગરથી દ્વારકા આવી પહોચ્યા હતા. ઓખાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરીને દ્વારકાધીશની પૂજા કરી હતી.ત્યારબાદ બાદ પંચકૂઈ બીચ પાસે મોદીએ ભગવા વસ્ત્રોમાં પહોચ્યા હતા અને કમરે મોરપિચ્છ ખોસીને પાણીમાં ઊતર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી […]

દ્વારકાઃ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ દ્વારકામાં 1 લાખ જેટલા દીવડાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે

અમદાવાદઃ આગામી 22 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત વર્ષ જ્યારે જયશ્રી રામના આગમન ની તૈયારીઓ માં લાગી ગયો છે ત્યારે નાના માં નાનો માણસ પણ આ તૈયારીઓ થી વંચિત નથી. અયોધ્યામા ભગવાન શ્રી રામના મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે ભારત ભર ની જેમ કૃષ્ણ નગરી પણ તેજોમય દેખાશે. દ્વારકામા પણ દિવાળી નો માહોલ બની રહે […]

દ્વારકાના રાણ ગામે બાળકી 100 ફુટ ઊંડા બોરવેલમાં પડતા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન

જામ ખંભાળિયાઃ રાજ્યમાં ખૂલ્લા બોરવેલમાં બાળકો પડી જવાના અગાઉ પણ બનાવો બની ચૂંક્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ઘર આંગણે ફળિયામાં બનાવેલા બોરવેલમાં રમતા-રમતા એક અઢી વર્ષની માસુમ બાળકી પડી જતાં બાળકીને બચાવવા માટે જિલ્લાભરનું તંત્ર કામે લાગ્યું છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર પણ રાણ ગામે દોડી ગયા હતા. દ્વારકાનગરપાલિકાના ફાયરબ્રિગેડ, તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code