1. Home
  2. Tag "epidemic"

બનાસકાંઠાના થરાદ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો બન્યા ચિંતિત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળો જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. એરંડાના પાકમાં કાતરા ઈયળોના ઉપદ્રવને લીધે ઊભોને ઊભો પાકનો નાશ થઈ રહ્યો છે. દરમિયાન જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપિલ કરી છે. કે, ખેડુતોએ એરંડાના પાકને કાતરા ઈયળોથી બચાવવા માટે ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ. […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

ઉત્તર ગુજરાતમાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો ચિંતિત

પાટણ:  ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચોળો જોવા મળી રહ્યો છે. એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો ચિંચિત બન્યા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતો નથી. ઉત્તર ગુજરાતમાં […]

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ફીવરના વાવરથી ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધ દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનો 70 ટકા સ્ટાફ પણ ચાલુ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ ચૂક્યો છે. સિવિલ હોસ્પિટલના […]

ભૂજ વિસ્તારમાં પશુઓમાં રોગચાળો, ધાણેટીની સીમમાં 70 ઘેટાં-બકરાં મોતને ભેટ્યાં

ભુજઃ કચ્છમાં ભૂજ તાલુકાના ધાનેટી ગામે ઘેટા-બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.  દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ધાણેટી ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ સંક્રમિત હોવાથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદાજિત 15 દિવસથી […]

અમદાવાદના પૂર્વ અને કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. વધતી ગરમીની સાથે શહેરના પૂર્વ વિસ્તારોમાં તેમજ કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાઈ રહ્યા છે. ગરમીમાં લૂ લાગવાના, ચક્કર આવવાના તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિના દરમિયાન ઝાડા ઉલ્ટીના કેસોમાં વધ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં […]

અમદાવાદના કોટ અને પૂર્વના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો, પાણીના 205 સેમ્પલ અનફિટ

અમદાવાદઃ  ઉનાળાના આકરા તાપમાનમાં શહેરીજનો સેકાય રહ્યા છે.શહેર અસહ્ય ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનાના 23 દિવસમાં ઝાડા ઊલટીના કેસોમાં ઉછાળો નોંધાયો છે. શહેરમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના વધુ કેસ નોંધાયા છે. મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બહેરામપુરા વિસ્તારમાં […]

રોગચાળો વકર્યો: અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા,સૌથી વધુ બાળકો બીમાર

શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું સૌથી વધુ બાળકો બીમાર ઝાડા-ઉલટીના વધ્યા કેસ અમદાવાદ:હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.જેને પગલે લોકો બીમાર પડતા હોય છે.આવી કાળઝાળ ગરમીમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી અત્યંત જરૂરી બની છે.લૂ લાગવાથી નાનેરા થી લઇ મોટેરા સુધીના લોકો તાવ,ઝાડા-ઉલટી સહિતના રોગોની ચપેટમાં આવતા હોય છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં […]

અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ગત વર્ષની સરખામણીએ વધુ કેસ

કમળો અને ટાઈફોડના કેસમાં થયો વધારો કમળાના 139 અને ટાઈફોડના 152 કેસ ડેન્ગ્યુના 104 અને ચિકનગુનિયાના 99 કેસ નોંધાયાં અમદાવાદઃ શહેરમાં ફરી કવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કમળા […]

મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code