1. Home
  2. Tag "forest department"

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને […]

વન વિભાગની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત […]

હિંસક દિપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે વનવિભાગ પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૩મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ […]

સાસણગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર સામે આકરી કાર્યવાહી કરાશે

જૂનાગઢઃ સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત […]

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. […]

બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે વન વિભાગની 19 નર્સરીઓમાં 66 લાખ રોપાઓ ઉછેરાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારા વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે, જિલ્લાના વન વિભાગ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો, સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લાને લીલોછમ્મ- હરિયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પવિત્ર ઉપવન, પંચવટી, અર્બન ફોરેસ્ટ, વન […]

મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું : કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ પાસે ખાલી હાથે ના જવાય. શ્રીફળ વગર કોઇ વ્યક્તિ દેવ કે દેવી પાસે જતી હોતી નથી. શ્રીફળ એટલે કે નારિયેળ દરેક મંદિરમાં વપરાતું ફળ છે.નારિયેળ વગર કોઇ દેવ કે દેવીની પૂજા શક્ય નથી.એક શ્રીફળ માત્ર […]

સાસણ સિંહ સદન ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી

અમદાવાદઃ જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે વિવિધ પગલાંઓ લીધા હતા. દરમિયાન રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં સંદર્ભે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સાસણ સિંહ સદન ખાતે બેઠક યોજી હતી. મંત્રીએ વાવાઝોડાના સમયમાં સમગ્રતયા ખાસ કરીને સિંહોના રેસક્યુ […]

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ […]

પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી યાને હરિયાળું બનાવવા ચોમાસા દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. એક સમયે ગાંધીનગરમાં સૌથી વધારે લીલાછમ વૃક્ષો હતા. અમદાવાદથી ગાંધીનગર જતાં રોડની બન્ને સાઈડ પર નજર ન પહોંચે ત્યાં સુધી ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળતા હતા. પરંતુ વિકાસની તેજ દોડમાં નડતરરૂપ અનેક વૃક્ષો ધડમૂળથી કપાઈ ગયા હતા. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code