1. Home
  2. Tag "forest department"

પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી યાને હરિયાળું બનાવવા ચોમાસા દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. એક સમયે ગાંધીનગરમાં સૌથી વધારે લીલાછમ વૃક્ષો હતા. અમદાવાદથી ગાંધીનગર જતાં રોડની બન્ને સાઈડ પર નજર ન પહોંચે ત્યાં સુધી ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળતા હતા. પરંતુ વિકાસની તેજ દોડમાં નડતરરૂપ અનેક વૃક્ષો ધડમૂળથી કપાઈ ગયા હતા. અને […]

સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વનરાજોએ અઢ્ઢો જમાવતા લોકો સીમ-ખેતરો જતાં પણ ડરતા હતા, દરમિયાન તાલુકાના ઘનશ્યામનગરની સીમમા છેલ્લા ત્રણ માસ દરમિયાન નરભક્ષી બનેલા સાવજે એક પછી એક ત્રણ વ્યકિતને ફાડી ખાધાની ઘટના બાદ વનતંત્રએ હવે આ વિસ્તારના તમામ સિંહને પાંજરે પુરી દઇ સમગ્ર વિસ્તારને સિંહ મુકત કરી દીધો છે. અગાઉ આઠ સિંહ અને એક દીપડાને […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2004થી પ્રતિવર્ષ વન મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 73 માં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી 12 ઓગષ્ટ-2022ના સવારે-9.00 કલાકે બનાસ મેડિકલ કોલેજ મારિયા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં 54.65 લાખ રોપાઓના ઉછેર થકી […]

સાબરકાંઠાઃ વન્ય પ્રાણીઓની સંખ્યામાં પાંચ વર્ષમાં વધારો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે […]

મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે  દરિયા નજીક  સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક  ગઇકાલે મંગળવારે સાંજના સમયે  સિંહનો મૃતદેહ હોવાની […]

મધ્યપ્રદેશઃ 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરનાર દીપડાને ઝડપી લેવા માટે વનવિભાગે આધુનિક ટેકનોલોજી અપનાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના અબખેડી ગામમાં દીપકાએ પ્રવેશ કરીને આતંક મચાવ્યો હતો. એક બે નહીં પાંચ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા પ્રયાસો કરવા છતા દીપડો પાંજરે પુરાયો નથી. હવે વનવિભાગે દીપડાને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. દીપડાને ડ્રોનની મદદથી શોધવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના દમોહ […]

જૂનાગઢઃ લાયન શોના નામે સિંહની પજવણી કરનારાઓ સામે કાર્યવાહી, 3ની અટકાયત

અમદાવાદઃ એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગિરના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સાવજોની પજવણીના કિસ્સા સામે આવે છે. તાજેતરમાં જ સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને વનવિભાગે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કરીને 14 વ્યક્તિઓની ઓળખ કરીને 3 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. વનવિભાગની કાર્યવાહીથી સાવજોની પજવણી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત […]

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

વાંદરાને અજગરના પેટમાંથી જીવીત બહાર કઢાયો બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે બંનેની હાલતમાં સુધારો થયા બાદ જંગલમાં છોડાશે અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. […]

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code