1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે
પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે

પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી યાને હરિયાળું બનાવવા ચોમાસા દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. એક સમયે ગાંધીનગરમાં સૌથી વધારે લીલાછમ વૃક્ષો હતા. અમદાવાદથી ગાંધીનગર જતાં રોડની બન્ને સાઈડ પર નજર ન પહોંચે ત્યાં સુધી ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળતા હતા. પરંતુ વિકાસની તેજ દોડમાં નડતરરૂપ અનેક વૃક્ષો ધડમૂળથી કપાઈ ગયા હતા. અને વૃક્ષોથી આચ્છાદિત ગણાતું પાટનગર ઉજ્જડ બનવા લાગ્યું છે. હવે મ્યુનિ.કોર્પોરેશન, કેટલીક એનજીઓ. વન વિભાગ અને જાગૃત નાગરિકા દ્વારા આ ચોમાસા દરમિયાન ગાંધીનગરને હરિયાળું બનાવવા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરને ગ્રીન ગાંધીનગર તરીકેની ઓળખને પુનઃ પ્રસ્થાપિત કરવાના ઉમદા ભાવ સાથે નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા વર્ષ 2023-24 માટે ગ્રીન ગાંધીનગરના નિર્માણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન અનુસાર એક વર્ષમાં ગાંધીનગર શહેરની 46 હેકટર જમીનમાં 1 લાખ 37 હજારથી વઘુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત વન મહોત્સવ ઊજવણી હેઠળ જિલ્લાની 15 જેટલી નર્સરીમાં 26 લાખથી વધુ વૃક્ષો તૈયાર કરાયા છે. જે અન્વયે પાંચમી જુનથી નાગરિકોને વિનામૂલ્યે રોપા આપવામાં આવશે.

ગાંધીનગર જિલ્લા વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરની ગ્રીન ગાંધીનગરની ઓળખને સુદ્રઢ કરવા માટે ચાલું વર્ષ 2023-24 માટે સુચારું આયોજન કરાશે. ગ્રીન ગાંધીનગર બનાવવા માટે સ્ટ્રીપ પ્લાંટેશન અંતર્ગત 10 હેક્ટર જમીનમાં 8 હજાર રોપાઓનું વાવેતર કરાશે.  તેમજ પ્લોટેશન( CAMPA) અંતર્ગત 20 હેકટર જમીનમાં 22 હજાર 220 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ મોડલ અંતર્ગત 5 હેકટર જમીનમાં 5 હજાર 555 રોપાઓનું, વન કવચ થીમ અંતર્ગત 9.9 હેકટર જમીનમાં 1 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. તેની સાથે અર્બન ફોરેસ્ટ મોડલ અંતર્ગત 1 હેક્ટર જમીનમાં 2 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયના પાટનગરની ઓળખ હરિયાળા ગાંધીનગર તરીકે કરવામાં આવતી હોય છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પોતાના સંસદીય મત વિસ્તારને હરિયાળું બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. તેમના સંસદીય મત વિસ્તારમાં ગાંધીનગર શહેરનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં હરિયાળીના નિર્માણ માટે વન વિભાગ દ્વારા ઉમદા અભિગમ સાથે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code