1. Home
  2. Tag "forest department"

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]

ખાંભા અને મીતિયાળા અભયારણ્ય નજીક રાત્રે ગેરકાયદે લાયન શોઃ વન વિભાગ નિષ્ક્રિય

અમરેલીઃ જિલ્લાના ખાંભા રેવન્યુ અને મીતિયાળા અભ્યારણ્ય રેન્જમાં ગેરકાયદે લાયન શો યોજાતા હોય છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા સિંહનો મેટિગ પીરિયડ ચાલતો હોય છે, આ સમયે સિંહ કોઈ પણ ખલેલને સહન કરતો નથી. અને તેથી જ ગીર અભ્યારણ્યમાં પણ ચોમાસા દરમિયાન સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. ત્યારે ખાંભા અને મીતિયાળા અભ્યારણ્યમાં ગેરકાયદે લાયન […]

GPSC દ્વારા વન વિભાગની રવિવારે યોજાનારી પરીક્ષામાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબના બની ગયા છે. બીજીબાજુ સરકારે ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. રાજ્યભરમાં આવતીકાલ તા.20મીને રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું સૂત્રોએ […]

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]

ગીર જંગલમાં વન્યપ્રાણીઓના શિકાર માટે આવેલી ટોળકી ઝબ્બે, 15 ફાંસલા મળ્યાં

અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં ફાંસલા ફસાયેલુ સિંહબાળ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું. તેમજ ફાંસલા ગોઠવનારા શિકારીઓને ઝડપી લેવા તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે 25 જેટલા શખ્સોની અટકાયત કરી હતી. જેમની પાસેથી 15 જેટલા ફાંસલા અને વન્યપ્રાણીઓના હાડકા મળી આવ્યાં હતા. પોલીસે  આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ […]

ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ […]

બનાસકાંઠાના દાંતીવાડામાં હાથીનું ઝુંડ જોવા મળ્યું : લોકોમાં અચરજ

અમદાવાદઃ ગુજરાતના જંગલ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવર જોવા મળે છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સાતસનની સીમમાં જોવા ચાર હાથીઓનું ઝુંડ જોવા મળ્યું હતુ. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા હાથીઓ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડાના સાતસનની સીમમાં એક સાથે ચાર હાથી […]

ગુજરાતમાં ફરી એકવાર જોવા મળ્યો વાઘ, મહિસાગરના ગ્રામજનોએ કર્યો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં સાવજો અને દીપડાની વસ્તીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. જો કે, રાજ્યમાં વાઘની વસતી નથી. જો કે, પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા વધારે છે. દરમિયાન રાજ્યના સરહદી જિલ્લા મહિસાગરમાં ફરી એકવાર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, વનવિભાગ દ્વારા આ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code