1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં નવા સચિવાલયના રિનોવેશન દરમિયાન લોખંડની પાઈપો પડતા મહિલા કર્મીને ઈજા

નવા સચિવાલયના બ્લોક નં. 13માં રિનોવેશન દરમિયાન 25 લોખંડની પાઈપો પડી, મહિલા કર્મચારીને માથામાં ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે હાથ ધરી તપાસ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના નવા સચિવાલય ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો […]

ગાંધીનગરમાં મેટ્રો રેલનું સચિવાલયથી મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન

અમદાવાદઃ ગાંધીનગરમાં મેટ્રો રેલના ટ્રાયલ રનને સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ રન સચિવાલયથી શરૂ થઈને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને આ પ્રોજેક્ટ શહેરના નાગરિકો માટે આરામદાયક, સલામત અને પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે. ગાંધીનગર મેટ્રો […]

ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્કમાં આજથી વન્યજીવ સપ્તાહ, લોકોને નિશુલ્ક પ્રવેશ અપાશે

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે, પ્રકૃતિ ઉદ્યાનમાં નાગરિકોને ભાગ લેવા અનુરોધ, બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરાયુ ગાંધીનગરઃ શહેરના છેવાડે આવેલા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે આજથી એટલે કે, તા. 2જીથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઊજવાણીનો પ્રારંભ કરાયો છે. આ ઊજવણીમાં વધુમાં વધુ […]

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા કેસમાં આરોપીની ધરપકડ

મહિલા કોન્સ્ટેબલનો પરિણીત પ્રેમી નિકળ્યો હત્યારો, હત્યારા આરોપીને પોલીસે અમરેલીથી દબોચી લીધો, મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી […]

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં ફરજ બજાવતી હતી, મહિલા કોન્સ્ટેબલ ફોન ઉપાડતી ન હોવાથી ભાઈએ પાડોશીને તપાસ કરવા કહ્યુ, પાડોશીએ મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી  ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી રહેતી અને અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો તેના ઘરમાં નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળતા પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ […]

ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ યોજાઈ

કોન્કલેવમાં આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસ વિશે સંવાદ કરાયો, આદિવાસીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ, આદિવાસીઓનો ઇતિહાસ કઈ રીતે લખવો જોઈએ તેના વિશે વિગતે ચર્ચા કરાઈ ગાંધીનગરઃ ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી તેમજ આદિવાસી અધ્યાપક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય સાથે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની કોન્કલેવ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. […]

ગાંધીનગરમાં પાણીના મીટર રીડિંગ મટિરિયલ્સની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા

પાણીના મીટર પ્લાસ્ટીકના હોવાથી વારંવાર બંધ પડવા કે બગડવાની શક્યતા, પાણીની પાઇપ લાઇનમાં વાલ્વ પણ પ્લાસ્ટીકનો નાંખવામાં આવ્યો છે, કર્મચારીઓ પાણીના મીટરનું ઓફિસમાં બેઠા બેઠા રિડિંગ કરી શકશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને મીટરથી 24 કલાક પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે. લોકોને ચોવીસ કલાક પાણી આપવા માટે પાઇપ […]

ગાંધીનગરમાં મીટરથી 24 કલાક પાણી આપવાની યોજના સામે વસાહત મહાસંઘનો વિરોધ

ગાંધીનગર વસાહત મહાસંઘે આવેદનપત્ર આપીને રજુઆત કરી, સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત પાણી આપવામાં આવે તે પર્યાપ્ત છે, પાણીના નળ પર લગાવેલા મીટરના મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે, ગાંધીનગરઃ શહેરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજનાનો વસાહત મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસાહત સંઘ દ્વારા આવેદનપત્ર આપીને એવી રજુઆત કરવામાં આવી છે કે, […]

ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન

ગુરૂવારે વહેલી સવારથી દબાણ હટાવવાનું મેગા અભિયાન, 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસકાફલો તહેનાત, અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.  ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ […]

ગાંધીનગરમાં કાલે 15મી સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાશે

ગાંધીનગરમાં ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે, મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે, ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ આવતી કાલે તા. 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code