1. Home
  2. Tag "governor"

પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત નવી ક્રાંતિનું સર્જન કરશેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ […]

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે જૂનાગઢ ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ […]

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

મુંબઈઃ રાજ્યપાલે તા. 22થી 24 જૂન વચ્ચેના ઉદ્ધવ સરકારે કરેલા સરકારી આદેશોની વિગતો માગી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 22 થી 24 જૂન વચ્ચે ઉદ્ધવ સરકાર દ્વારા જારી કરાયેલા સરકારી આદેશોની વિગતો માંગી છે. રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ સરકારી ઠરાવો (GRs) અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. શિવસેનામાં બળવા પછી, […]

વિદ્યાર્થી અને નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા રાજ્યપાલનો અનુરોધ

નવી દિલ્હીઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો  પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 11માં પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના 11મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]

ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા હિસ્સો રાસાયણિક કૃષિનોઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી […]

ગુજરાત વિધાનસભાનો પ્રથમ દિવસ, રાજ્યપાલના પ્રવચન ટાણે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થયો હતો. આવતીકાલે ગૃહમાં બજેટ રજુ કરાશે, આજે ગૃહમાં પ્રથમ દિવસે  રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,  ગૃહમંત્રી રાજીનામું આપે.ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા […]

ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસરત : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના 73મા ગણતંત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાત સરકાર ગુજરાતીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે નિરંતર પ્રયાસરત છે. રાજ્યપાલએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, કોરોના જેવા સંકટ-સમયમાં પણ ગુજરાત અડગ રહ્યું અને વિકાસની ગતિને અવિરત રાખી, એ આપણા સૌ માટે ગર્વની બાબત છે. રાજ્યપાલએ કહ્યું […]

પ્રજાસત્તાક દિવસઃ હોમગાર્ડઝ, બોર્ડરવીંગ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના 41 જવાનોનું સન્માન કરાશે

રાજ્યપાલના 3 અને મુખ્યમંત્રીના 38 ચંદ્રકો એનાયત કરાશે હોમગાર્ડના 26, નાગરિક સંરક્ષણના 4 અને ગ્રામરક્ષક દળના 3 જવાનોનું સન્માન થશે ગ્રામરક્ષક દળના 3 જવાનોનું રાજ્યપાલના ચંદ્રકથી સન્માન કરાશે અમદાવાદઃ ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે રાજ્યપાલના ત્રણ અને મુખ્યમંત્રીના 38 એમ મળી કુલ […]

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અવિવેકપૂર્ણ ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનના દુષ્પ્રભાવને નિવારવા માટે આ ક્રાંતિકારી પરિવર્તન છે. તે ખેડૂત સાથે પ્રકૃતિ સંરક્ષણ તરફની દશા અને દિશા બદલનારું બની રહેશે. આજે હજારો કિસાનો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code