1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વર્ષ 2024-25ના ધારાધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો છે : આરોગ્ય મંત્રી

આરોગ્ય અને શિક્ષણ સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકાર હંમેશા સકારાત્મક, ગુજરાતમાં હાલની જરૂરિયાત મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે, બે વર્ષમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાં એક-એક પ્રા.આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયા ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2024-25ના  ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં CHC, PHC અને પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 307 સિંહના મોત થયા, સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

બે વર્ષમાં 268 સિંહોના કુદરતી અને 39 સિંહોના અકસ્માતને મોત થયા, અમરેલી જિલ્લામાં 14 બાળસિંહ અને 17 પુખ્તવયના સિંહના મોત થયા, સિંહના રક્ષણ માટે અસરકારક નીતિ બનાવવા વિપક્ષની માગ ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ સતત કાર્યરત રહેતુ હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ 307 સિંહોના મૃત્યુ થયા હોવાની માહિતી ગુજરાત વિધાનસભામાં આપવામાં […]

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા સરકારના પ્રયાસ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો, કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો, રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

ગુજરાતમાં બપોર સુધીમાં 211 તાલુકામાં પડ્યો વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 8 ઈચ,

માછીમારોને તા.10મી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા IMD દ્વારા સૂચના, શામળાજી-ઉદયપુર માર્ગે ભૂસ્ખલન, સાબરકાંઠામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરાયુ, વલ્લભીપુર નજીક કેરી નદીમાં ઈકોકાર તણાઈ, બે પ્રવાસીને બચાવી લેવાયા સિસ્ટમ 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો અતિભારે વરસાદ પડી શકે છે  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના સુઈગામ […]

ગુજરાતઃ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 73 હજારથી વધુ પરિવારોનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર થયું

ગાંધીનગરઃ સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે […]

ગુજરાતમાં 9 મહિનામાં ટીબીના 87397 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

દેશમાં સૌથી વધુ 76 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ મોખરે, ગુજરાતમાં પ્રતિદિન ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાયા, રાજ્યમાં ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓમાં વધારો થતો જાય છે. છેલ્લા 9 મહિનામાં રાજ્યમાં ટીબીના 87397 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાય છે. […]

વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક અને સામાજિક પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલા લીલા પેલેસ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC) – ઇન્ટરેક્શન મીટને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ઇન્ટરેક્શન મીટનું આયોજન ગુજરાતમાં યોજાનાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો માટે મંચ તૈયાર કરવા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડ્યો, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

ગુજરાતમાં સીઝનનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો, રાજ્યમાં 113 ડેમો હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈચ જેટલો વરસાદ પડ્યો છે, રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code