1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના પ્રાથમિકતા ક્ષેત્રમાં 2025-26 દરમિયાન ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન ગત વર્ષ કરતાં 40% વધુ: નાબાર્ડ

નાબાર્ડે સ્ટેટ ફોકસ પેપર જારી કરતાં આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કર્યું હતું. નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક બી. કે. સિંઘલે જણાવ્યું કે રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં વર્ષ 2025-26માં ₹4.93 લાખ કરોડની ઋણ […]

ગુજરાતમાં માત્ર બે દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત

PM મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે નાગરિકોનું આકર્ષણ વધ્યું: કૃષિ મંત્રી, મહોત્સવમાં રૂ. 62 કરોડના પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ મહોત્સવમાં હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વાનગીઓનો આસ્વાદ માણ્યો અમદાવાદઃ ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન […]

ગુજરાતઃ ખાનગી ક્ષેત્રે સેવા આપતા તબીબોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

અમદાવાદઃ ગુજરાત સરકારે ખાનગી તબીબી સેવા આપતા તબીબો અને તબીબી સેવા આપતી સંસ્થાઓએ 31 માર્ચ પહેલાં પોતાની સંસ્થા કે હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સરકારની ઓનલાઈન વેબસાઈટ પર કરાવવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહી કરાવામાં આવે તો દંડ વસૂલવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારમાં કે સુરેન્દ્રનગર […]

સરકારી કર્મચારીઓએ હેલ્મેટ, સીટબેલ્ટનું ફરજિયાત પાલન કરવું પડશે

હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારી વાહનચાલકો દંડાયા અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દંડથી બચવા માટે કર્મચારીઓએ કરી બહાનાબાજી અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગના ગુના અંગે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન […]

ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકટરોની હડતાળ, અરજદારો પરેશાન

ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી અરજદારો RTO કચેરી પહોંચ્યા હડતાળને લીધે અરજદારોને પરત ફરવાની ફરજ પડી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા RTO ઈન્સ્પેકરટોએ કર્યો વિરોધ અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકરો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે હડતાળ પર ઉતરતા આરટીઓ કચેરીમાં અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવીને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આરટીઓ કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવ્યો હતો. […]

ગુજરાતમાં જાન્યુઆરીમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો, વાહનોનું વેચાણ 6 ટકા વધ્યું

એક જ મહિનામાં ઓવરઓલ વેચાણમાં 6 ટકાનો વધારો જાન્યુઆરી 2024 કરતાં જાન્યુઆરી 2025માં 5977 કાર વધુ વેચાઈ ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરમાં 8 ટકાનો વધારો અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. નવા વાહનોના વેચાણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો નોંધાયો […]

વિશ્વ કઠોળ દિવસઃ તુવેર અને ચણાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન

અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 સુધીના નિકાસના આંકડાઓ પર નજર […]

ગુજરાતમાં હવે 7 દિવસ મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે

રાતે ઠંડી અને બપોરે ગરમી બે ઋતુ અનુભવાશે આગામી એક સપ્તાહ વાતાવરણ સુકુ રહેશે 15મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી, વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકું […]

ગુજરાતમાં 45થી 55 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ટાઢાબેળ પવનને લોકોને ધ્રૂજાવ્યા

હવે તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા દક્ષિણ ગુજરાતમાં  પ્રેશર ગેડિયન્ટ સર્જાતા પવનની ગતિ વધી લોકોને બપોરના ટાણે ગરમીનો અહેસાસ થશે અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનને હવે 20 દ’હાડા બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફુંકાય રહ્યો છે. હાલ બપોરે થોડી ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના […]

ગુજરાતઃ પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત લીધા

અમદાવાદઃ રાજ્યમાં 2015 માં પાટીદારો આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાના મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા- દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code