1. Home
  2. Tag "Gujarati news"

અમદાવાદમાં બીઆરટીએસ જંકશનથી ઈ-રિક્ષાની નિયત દરે સુવિધા મળશે

BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાનુ પ્રતિ કિમી રૂ.10 ભાડું, પ્રવાસીઓ એપથી બુકિંગ કરાવી શકશે, મ્યુનિ.નું ખાનગી કંપની સાથે જોડાણ હેલમેટ ચારરસ્તા, યુનિવર્સિટીથી પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં જવા માટે ફરજિયાત રિક્ષામાં જવું પડે છે. બીઆરટીએસની ટિકિટ કરતા નિયત સ્થળે પહોંચવા માટે રિક્ષામાં ત્રણ ગણા ભાડા ચૂકવવા પડતા હતા. […]

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, શહેરમાં વરસાદી ઝાપટાંથી દ્વીચક્રી વાહનચાલકો ભીંજાયા અમદાવાદઃ શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં જર્જરીત એક ફલેટના ભાગનું ધાબુ તથા સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો […]

અમદાવાદમાં રથયાત્રાનો રૂટ નહીં બદલાય, કાળુપુરનો રોડ ખૂલ્લો કરાશે

કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટની બહારથી રોડ બંધ કરી દેવાયો હતો, રેલવેએ રથયાત્રા પૂરતું આ રોડ પરનાં પતરાં હટાવી રસ્તો ખુલ્લો કર્યો, રસ્તો ખુલ્લો કરી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરંપરાગત માર્ગે ભક્તોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળશે. મંદિર દ્વારા રથયાત્રા માટે તૈયારીઓ ચાલી […]

ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું : ભુપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વન્યજીવન સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે, છેલ્લા દાયકામાં નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે મોટી બિલાડીઓની સાત મુખ્ય પ્રજાતિઓ અને તેમના કુદરતી નિવાસસ્થાનોના સંરક્ષણ અને રક્ષણ માટે મોટી બિલાડી દેશો વચ્ચે સામૂહિક કાર્યવાહી મહત્વપૂર્ણ છે.સોમવારે નવી […]

સુરતમાં મોબાઈલની દૂકાનમાં આગ લાગી, બાજુમાં આવેલું ATM પણ ભડકે બળ્યુ

દુકાનમાં મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થઈ, ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું અનુમાન સુરતઃ શહેર નજીક વડોદ ગામમાં આવેલા મહાવીરનગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજે બે […]

G7 દેશોએ ઇઝરાયલને ટેકો આપી ઇરાનને ‘પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો સ્ત્રોત’ ગણાવ્યો

ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે. આ તણાવ વચ્ચે, મંગળવારે, ગ્રુપ ઓફ સેવન (G7) દેશોના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી છે. આ સાથે, તેઓએ ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને ટેકો આપ્યો છે. સમિટમાંથી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, G7 નેતાઓએ ઇરાનને પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો ‘મુખ્ય સ્ત્રોત’ ગણાવ્યો છે. તેમણે […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 176 તાલુકામાં પડ્યો વરસાદ, બોટાદમાં ઈકો તણાતા 4 લાપત્તા

ઈકો કારમાં 6 લોકો તણાયા હતા જેમાં 2 નું રેસ્ક્યૂ કરાયું, રાજુલા નજીક અને બાબરાના કુંડળ ગામે કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં બોટાદના બરવાળામાં 7 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6 ઈંચ, […]

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ દૂતાવાસે તેહરાનથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા

નવી દિલ્હીઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢ્યા છે. આ સાથે, અન્ય લોકો, જેમની પાસે પોતાનું પરિવહન છે, તેમને પણ શહેર છોડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવામાં મદદ કરવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય […]

ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી દુનિયાભરમાં ભયનો માહોલ, ડઝનબંધ એરપોર્ટ બંધ, લાખો લોકો પ્રભાવિત

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું તાજેતરનું યુદ્ધ એક મોટા યુદ્ધમાં ફેરવાતું દેખાય છે. શુક્રવારે ઇઝરાયલે ઈરાનના ઘણા પરમાણુ કાર્યક્રમોને નિશાન બનાવીને મોટા હુમલા કર્યા, જેમાં ઈરાનને મોટું નુકસાન થયું. તે જ સમયે, ઈરાન પણ સતત ઇઝરાયલ સામે બદલો લઈ રહ્યું છે. દરમિયાન, કોઈપણ જોખમને ધ્યાનમાં રાખીને, મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમના એરપોર્ટ અને એરસ્પેસ […]

BCCIએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં કર્યો ફેરફાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં ફેરફાર કર્યો છે. ભારતની અંડર-19 ક્રિકેટ ટીમના બે ખેલાડી ઘાયલ થતાં તેમને સ્થાને અન્ય બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો પ્રતિભાશાળી ક્રિકેટર ખિલન પટેલ પણ સામેલ છે. BCCIએ સોમવારે જાહેર કર્યું હતું કે, ઇજાગ્રસ્ત આદિત્ય રાણા અને ખિલન પટેલ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code